અમદાવાદમાં દિવસે કર્યૂ હટતાં જ લોકો બેપારવાહ: જમાલપુર શાકમાર્કેટમાં ટોળે-ટોળા ઉમટ્યાં

  • જમાલપુર શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડ્યાં
    અમદાવાદ,
    રાજ્ય સરકાર દ્વારા કોરોના પર કાબુ મેળવવા માટે અમદાવાદ શહેરમાં રાત્રિ કર્યું સહિત શનિવાર અને રવિવારના રોજ કર્યુ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે સોમવારે આજે વહેલી સવારે કર્યુ ખુલતાની સાથે ફરી લોકોની ભીડ જોવા મળી છે. શહેરના જમાલપુરની શાકમાર્કેટમાં લોકોની ભીડ જોવા મળી. જેમાં લોકો માસ્ક વગર ફરી રહૃાા હોવાનું જોવા મળ્યું છે.
    અમદાવાદ શહેરમાં ૫૭ કલાકના કર્યૂ પૂર્ણ થયા બાદ ફરી અમદાવાદના રસ્તા ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે. અમદાવાદનું જમાલપુર શાકમાર્કેટ લોકોને ભીડથી છલકાઈ રહૃાું છે. મોટી સંખ્યામાં લોકો શાકભાજીની ખરીદી અને વેચાણ કરવાની આવી રહૃાા છે.
    જો કે માર્કેટમાં મોટાભાગના ખરીદી કરવા આવનાર ગ્રાહક અને વેપારીઓના ચહેરા ઉપર માસ્ક જોવા મળી નથી મળી રહૃાું. લોકો દંડથી બચવા માટે માત્ર પહેરવા ખાતર માસ્ક પહેરતા હોય તેમ નાકના નીચેના ભાગમાં માસ્ક રાખે છે. હજુ લોકોમાં જાગૃતતા જોવા મળી રહી નથી. બીજી તરફ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો જોવા મળી રહૃાો છે. જો આવી જ પરિસ્થિતિ રહી અને લોકોમાં જાગૃતતા નહિ આવે તો શહેરમાં વધતા જતા કોરોનાના કેસ પર કાબુ મેળવવો મુશ્કેલ બની જશે હવે લોકોમાં સ્વયં જાગૃતિની જરૂર છે.