અમરેલીના ખેડુત તાલીમ ભવનમાં એસપી દોડી ગયાં

અમરેલી,અમરેલીના લીલીયા રોડ ઉપર આવેલા ખેડુત તાલીમ ભવનમાં સાડા ચારસો લોકો માટે સરકારી કવોરન્ટાઇન સેન્ટર ઉભુ કરવામાં આવ્યુ છે.
તેમાં સુરતથી આવેલા લોકોની મેડીકલ ચકાસણી પુરી થતાં નજીકના ગામના સરપંચ અને અમરેલીના રાજકીય આગેવાને આમની ચકાસણી થઇ ગઇ હોય તેમને જવા દેવા માટે માથાકુટ કરતા અને સેન્ટરમાં ગરમા ગરમી થયાની ખબર મળતા એસપીશ્રી નિર્લિપ્ત રાય ત્યાં દોડી ગયા હતા કાયદાનું પાલન કરવા તેમણે સુચના આપી પોતાની ઢબે મામલો થાળે પાડી દીધો હતો.