અમરેલી,
અમરેલી તાલુકાના ચિતલ, શેડુભાર, નાના મોટા માચીયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાના કારણે અમરેલી નજીક આવેલ ઠેબી ડેમ ઓવરફલો થતા આઠ દરવાજાઓ ખોલવામાં આવ્યા છે જયારે ખોડીયાર ડેમ ઓવરફલો હોવાના કારણે શેત્રુજી નદીમાં પાણી વહી રહયુ છે. અમરેલી તાલુકાના અમરેલી નજીકમાં ઠેબી નદી પર આવેલ ઠેબી સિંચાઈ યોજના માટે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના પરિપત્ર મુજબ ઠેબી યોજનામાં રુલ લેવલ જાળવવા માટે ગમે તે સમયે દરવાજા ખોલવામાં આવશે. આથી ઠેબી સિંચાઈ યોજનામાંથી પાણી છોડવામાં આવે ત્યારે અમરેલી તાલુકાના અમરેલી, પ્રતાપપરા, ફતેપુર અને ચાંપાથળ સહિતના ગામમાં અને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવર જવર કરવી નહિ. જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે ઠેબી નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં અવર જવર ન કરવા વાયરલેસ ઓપરેટર અમરેલી ફ્લડ સેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો