અમરેલીની ગાંડીવેલે જેસીંગપરામાં ભુગર્ભ જળને ઝેર બનાવી નાખ્યું

અમરેલી,ઓણ સાલ સુરતથી અમદાવાદથી અને રાજ્યભરમાંથી અમરેલી જિલ્લામાં અને અમરેલી શહેરમાં મોટી સંખ્યામાં મહેમાનો આવી રહયા છે અને ઓછામાં ઓછા એકથી બે મહિના સુધી રોકાવાના છે ત્યાારે સ્વભાવિક જ પાણીની જબરી તંગી ઉભી થવાની છે આવા સમયે જે પાણીના સોર્સ છે તેની કાળજી જરૂરી છે પરંતુ અમરેલીમાં જેના રીનોવેશન પછી લોકાર્પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થયુ હતુ તેવા અમરેલીના કામનાથ ડેમમાં છવાયેલી ગાંડીવેલે જેસીંગપરામાં ભુગર્ભ જળને ઝેર બનાવી નાખ્યું છે.
કામનાથ ડેમમાં વડી, ઠેબી અને ખારો એમ ત્રણેય નદીઓમાં ગાંડીવેલનું સામ્રાજ્ય છવાયેલુ છે જેના કારણે કામનાથ ડેમને કાંઠે આવેલ જેશીંગપરા, ડુબાણીયા પા જેવા વિસ્તારોમાં ભુર્ગભ જળ એટલી હદે દુષિત થઇને દારમાંથી બહાર આવે છે કે તેની દુગર્ંધ માથુ ફાડી નાખે તેવી આવે છે અને ઢોર પણ આ પાણી પીતુ નથી અધ્ાુરામાં પુરૂ અમરેલીની સંધી સોસાયટી,મણીનગર, મીની કસબા કુંકાવાવ રોડ,જેસીંગપરાનો અમુક હિસ્સાનું ગટરનું પાણી સીધ્ાુ નદીમાં ભળી અને કામનાથ ડેમ છલકાવે છે જેના કારણે જે માટે કામનાથ ડેમ બંધાણો છે તે ભુર્ગભ જળ કોઇ કામનું રહયુ નથી.