અમરેલીની શેત્રુંજી નદીમાં બ્લોક બનાવી લીઝ અપાશે

અમરેલી,

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા એ રૂબરૂ મળી ઉપરોક્ત પ્રશ્ર્નો બાતે રજુઆત કરી ત્વરીત ઉકેલ લાવતા આનંદ વ્યાપી ગયો છે.

અમરેલી જીલ્લામા છેલ્લા કેટલાક વર્ષોથી શેત્રુંજી નદીનો ઈકોઝોનમા સમાવેશ થતા બાંધકામ માટે સારી રેતીની ભયંકર અછત સર્જાયેલ જેને કારણે અન્ય જીલ્લા માંથી રેતિ લાવવી પડતી હોવાથી પરીવહન ખર્ચ વધતા રેતિ મોંધી પડતી હોઈ, આ કારણોસર સામાન્ય માણસને મકાન બનાવવા, રીપેરીંગ કરવામા ખુબ મુશ્કેલી પડે છે જેને લીધે અમરેલી જીલ્લામા સરકારી-ખાનગી બાંધકામ વિભાગને પણ મોટો ફટકો પડયો હતો આ બાબતે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરતા ટુંક સમયમા નિયમાનુસાર પ્રક્રિયા કરીને શેત્રુંજીનદીના પટમા બ્લોક બનાવી તેની પારદર્શક રીતે હરરાજી કરવામા આવશે જેથી સમગ્ર અમરેલી જીલ્લાને સરળતાથી રેતિ ઉપલબ્ધ થશે અને કિંમત ધટશે.

આવી જ રીતે ધારી ખાતેના ગળધરા ખોડીયાર મંદિર કે જે સમગ્ર હિંદુ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે તે મંદિરે જવા માટે ડેમ ઉપરથી પસાર થતો રસ્તો સિંચાઈ વિભાગે ટેકનીકલ કારણોસર વાહનો માટે બંધ કરેલ હતો જેથી મંદિર ચાલીને જવુ પડે તેવી સ્થિતીનું નિર્માણને કારણે વડીલો,મહિલાઓ, બાળકોને તકલીફ ભોગવવી પડતી આ  અંગે પણ રજુઆત કરતા મુખ્યમંત્રીશ્રીએ સબંધિત વિભાગને સૂચના આપી વાહનોે મંદિર સુધી લઈ જવાની મંજુરી આપવાની જરૂરી સૂચનાઓ આપી પ્રશ્ર્નનુ નિરાકરણ લાવેલ. અમરેલી જીલ્લાના ખેડૂતો માટે ખુબ મહત્વનો એવો ખેતિની જમીન-પાકને જંગલી જાનવરોથી સુરક્ષીત રાખવા કાટાળી વાડ બનાવવા, વાયર ફેન્શીંગની સબસીડી માટે ગ્રાન્ટ અમરેલી જીલ્લાના લાંબા સમયથી અટવાયેલ હતી આ અંગે રજુઆત કરતા જે તે વિભાગને તત્કાલ સૂચના મુખ્યમંત્રીશ્રીએ આપતા આ અંગેની ગ્રાન્ટ સત્વરે ઉપલબ્ધ થશે, આ મુલાકાત વેળા જીલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્ભાઈ બસીયા સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલ તેમ કાર્યાલયની યાદીમા જણાવાયેલ છે.