અમરેલીની શ્રી શાંતાબા ગજેરા હોસ્પિટલને બદનામ કરી શહેરમાં રોગચાળો ફેલાવવાની ખતરનાક ચાલ

અમરેલી, અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલને બદનામ કરી રોગચાળો ફેલાવવાની ખતરનાક ચાલ સામે આવી છે કોઇ વિઘ્નસંતોષીઓ હોસ્પિટલના દરવાજા પાસે બાયોમેડીકલ વેસ્ટ નાખી જતા લોકો ચોંકી ઉઠયા છે અને આ કોરોના મહામારી ફેલાવવાનું કાવત્રુ છે કે પછી હોસ્પિટલને બદનામ કરવાનો કારસો ? તેની અટકળો ચાલી રહી છે આ અંગે હોસ્પિટલના ચીફ ઓપરેટીંગ ઓફીસર દ્વારા શહેર પોલીસમાં ફરિયાદ કરાઇ છે આવી કટોકટીના સમયે આ ગંભીર ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામેલ છે.