અમરેલી,
ગઇ કાલે અમરેલીના ચિતલ રોડ ઉપર આવેલ જયોતીરાવ નગરમાં આવેલ 80 વર્ષના વૃધ્ધાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આજે સવારે તેમનું સારવાર દરમિયાન મૃત્યું નીપજતા અમરેલી શહેરમાં કોરોનાને કારણે મૃત્યુંનો આંક 2 ઉપર પહોંચ્યો છે અને આજે તા. 9 જુનના અમરેલી જિલ્લામાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયેલ છે. અમરેલી શહેરના લાઠી રોડ પર રહેતા 71 વર્ષીય પુરૂષ જે અમદાવાદથી આવેલા એમના ભાઈના સંપર્કમાં આવેલા છે એમનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવેલો છે. લીલીયાના સલડી ગામના 29 વર્ષીય પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ છે. આ પુરુષની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ ઉપરાંત સાવરકુંડલાના નાની વડાળના 70 વર્ષીય પુરુષ જે મુંબઈથી તા. 7 જુનના આવ્યા હતા એમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવેલ છે.
આજ સુધીમાં અમરેલી જિલ્લામાં 2 દર્દીઓના દુ:ખદ અવસાન થયા છે અને 9 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. આમ કુલ 18 પોઝિટિવ કેસમાંથી હાલ 7 એક્ટિવ કેસ છે. આજે કોવિડ-19 પોઝિટિવ આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઈન કરવાની કામગીરી તેમજ દર્દીઓના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.