અમરેલી,અમરેલીમાં સદ્દભાવના ગૃપ દ્વારા કોરોના વોરીયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.
અમરેલીમાં લોકડાઉન દરમિયાન શહેરના સદાબહાર એવા ચાંદનીચોકના સદભાવના ગૃપની અનોખી કામગીરી શ્રી અજીજભાઇ ગોરી તથા પાલીકા સદસ્ય શ્રી નવાબ ગોરીના નેતૃત્વમાં ચાલી રહી છે સદભાવના ગૃપ દ્વારા અમરેલીમાં કોરોના વોરીયર્સનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ.
સદભાવના ગૃપના શ્રી અજીજભાઇ ગોરી દ્વારા લોકડાઉનનો ભંગ કરનારને સમજાવી નિયમોનું પાલન કરાવવું તથા રોગ પ્રતિકારક દવાઓ અને ઉકાળાનું વિતરણ અને સ્વચ્છતા માટે ડીડીટીનો છંટકાવ કરવામાં આવે છે સદભાવના ગૃપ દ્વારા પોલીસ, આરોગ્ય કર્મચારીઓ, ડો. કાનાબાર, શ્રી સોજીત્રા તથા કોરોનાથી લોકોને સતત માહિતગાર રાખનાર અવધ ટાઇમ્સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું હતુ.