અમરેલી,અમરેલીમાં સરકાર દ્વારા ચાલતી ટેકાના ભાવની ખરીદી બંધ થતા રજીસ્ટ્રેશન કરાવેલા ખેડતો રખડી ગયા છે અને તેમની વહારે ચડેલા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલિયાએ શ્રી પરસોતમભાઇ રૂપાલાને રજુઆત કરતા જણાવેલ છે કે, સરકારશ્રી દ્વારા ખેડૂતોને પોતાના માલના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂત સ્વનિર્ભર થાય તેવા હેતુથી ટેકાના ભાવે ચણા વેંચવા માંગતા ખેડૂતોને ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવા માટેની સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ.
જે અન્વયે ખેડૂતોને ઓન લાઇ રજીસ્ટ્રેશન કરવા માટેની સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ, જે અન્વયે ખેડૂતોએ પોતયાના ચણા વેચવા માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવેલ જેમા માત્ર 50 % ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ ત્યાર બાદ સરકારશ્રી દ્વારા તારીખ 01/05/2020 થી ચણાની ખરીદીઓ શરૂ કરવામાં આવેલ છે.
પરંતુ તાજેતરમાં સરકારશ્રી દ્વારા રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતો માંથી 25 % જેટલા ખેડૂતોના ચણા ખરીદવા તેવુ જણાવી અને ખરીદી સેન્ટરો બંધ કરવામાં આવેલ છે. જે ખેડૂતોએ આટલા લાંબા સમયથી રાહ જોઇને બેઠા છે કે અમારો વારો આવે એટલે ચણા ટેકાના ભાવે વેંચવા જઇશું પરંતુ ઉપરોકત નિર્ણયથી ખેડૂતો સ્વનિર્ભર થવાને
(અનુ. પાના નં.7)