અમરેલી,અમરેલીમાં શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપનાર ડોકટરની હાલત પડકારજનક અને સાચા અર્થમાં યોધ્ધા જેવી થવાની છે અમરેલીમાં કોરોનાની સારવાર આપી રહેલ એમડી ડો. વિજય વાળા કોરોનાનો પ્રથમ કેસ આવ્યો ત્યારથી 14 દિવસ અવિરત કોરોનાની સારવાર આપશે અને રહેવાનું પણ હોસ્પિટલ કેમ્પસમાં જ રહેશે અને દર્દીને 14 દિવસની સારવાર આપ્યા પછી તેની જગ્યાએ બીજા ડોકટરની નિમણુંક અપાશે અને ત્યાર પછીના 14 દિવસ માટે તેમને કવોરન્ટાઇન આવશે તે પણ તેમણે હોસ્પિટલ કેમ્પસમાં જ ગાળવુ પડશે એટલે 28 દિવસ સુધી તે બહાર નહી નીકળે અને 29માં દિવસથી પાછા કોરોના વોર્ડમાં જો દર્દી આવ્યા હોય તો વોર્ડનો ચાર્જ લઇ પાછી સારવાર શરૂ કરશે.