અમરેલીમાં ફીકસ પગારમાં રાખી પાલીકાની તીજોરીને ફટકો માર્યો

અમરેલી,અમરેલી નગર પાલિસનાં સતાધીશોે દ્વારા મામકાવાદ અપનાવા પોતાનાં લાગતા વળગતા નિવૃત થયેલ કર્મચારી એને ફિક્સ પગારમાં નોકરી ઉપર લઈ પાલિકાની તિજોરીને આર્થિક ફટકો મારવામાં આવી રહેલ છે. પાલિકામાં ઓવર સ્ટાફ હોવા છતાં પણ મામકાવાદ ખાનગી એજન્સીની નિમણુક કરી બિનજરૂરી પગાર ચૂકવવા અંગે પાલિકાનાંજ કમર્ચારીઓ દ્વારા પાલિકાની તિજોરીને આર્થિક નુકસાન કરનાર સામે પગલા ભરવા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવેલ હતી. પ્રાપ્ત વિગત મુજબ અમરેલી નગરપાલિકામાં ઓવર સ્ટાફ હોવા છતાં પણ સતાધીશોે દ્વારા મામકાવાદ અપનાવી બિનજરૂરી ભરતી કરવામાં આવી રહેલ છે. સરકારનાં પરીપત મુજબ પાલિકાના સતાધીશો ડાયરેક સીધી ભરતી કરી શકતા નથી. પરંતુ પોતાના માનિતાઓને ફિક્સ પગારમાં નોકરી ઉપર રાખવા માટે એક ખાનગી એજન્સી સાથે કરાર કરવામાં આવેલ છે. સતાધીશો પોતાના માણસોને પાલિકામાં રખાવી ખાનગી એજન્સીમાં નામ ચડાવી દેવામાં આવે છે.અને પાલીકામાં જરૂરત ન હોવા છતાં પણ પાલીકાની તિજોરીને આર્થિક ફટકો મારવામાં આવી રહેલ છે. પાલીકાના કર્મચારીઓ પાલીકાને આર્થિક બચાવવાની દિશામાં પગલાં ભરી રહેલ છે. ત્યાતે સતાધીશો અને મુખ્ય અખિકારીઓ પાલીકાને આર્થિા બરબારદીના પંથે નોતરી રહેલ છે. આવી હિન પ્રવૃતિ અટકાવવા પાલીકાના જ કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રી, કર્મિનર શહેરીવિકાસ મંત્રાલયને રજુઆત કરવામાં આાવેલ હતી. પાલીકામાં બિનજરૂરી ભરતી કરી પાલીકાની તિજોરીને આર્થિક નુકસાની અંગે સરકાર દ્વારા પાલીકાની નાણાકીય જવાબદારી સબંકર્તા અધિકારીની નક્કી કરવા માગણી કરવામાં આવેલી હતી. પ્રજાના પરસેવાના નાણાં ભ્રષ્ચારમાં અટવાતા બચાવા ચિફ ઓફીસર વિરૂધ્ધ ખુદ પાલીકાના જ કર્મચારીઓ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામા આવતા ભારે ચકચાર જાગેલ હતી.