અમરેલી જિલ્લાના ત્રણ મામલતદારોની બદલી

અમરેલી,રાજયમાં 88 મામલતદારોને બદલી અને 51 નાયબ મામલતદારોની બદલીનો ઘાણવો નિકળતા અમરેલી જિલ્લા નો પણ સમાવેશ થયો છે યાદી મુજબ સાવરકુંડલામાં ભાવનગરથી શ્રી પ્રદિપસિંહ ગોહીલને મુકયા છે જયારે અમરેલીના એમટી ધનવાણીને ઉપલેટા અને અમરેલીના આરબી ગઢવીને રાજકોટ પુર્વમાં મુકયા છે અને સુરેન્દ્રનગરથી નાયબ મામલતદારમાંથી બઢતી આપીને આરજી લુણાગરીયાને ધારીમાં મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે