- ૧૬ મૃત્યુ, ૧૨૩ ડિસ્ચાર્જ અને ૯૬ સારવાર હેઠળ
અમરેલી,
આજે તા. ૨૦ જુલાઈના અમરેલી જિલ્લામાં બપોરે ૧૨ વાગ્યા પહેલા કોવિડ-૧૯ના વધુ ૬ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. સાવરકુંડલાના ભેંકરાના ૨૩ વર્ષીય મહિલા, લાઠીના ૩૮ વર્ષીય મહિલા, અમરેલીના તરવડાના ૩૬ વર્ષીય પુરુષ, ધારીના કોઠા-પીપરીયાના ૭૨ વર્ષીય વૃદ્ધા, ખાંભાના ભાડના ૪૦ વર્ષીય પુરુષ અને લીલીયાના ઈંગોરાળાના ૫૯ વર્ષીય પુરુષના કોવિડ-૧૯ના રિપોર્ટ પોઝિટિવ આવેલા છે.
હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આમ અમરેલી જિલ્લામાં ૧૬ મૃત્યુ, ૧૨૩ ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે તેમજ ૯૬ સારવાર હેઠળ છે. આજ સુધી કુલ ૨૩૫ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.
આપને કે આપની આજુબાજુમાં કોઈને પણ તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુઃખાવા જેવા લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨-૨૨૮૨૧૨ તથા ૮૨૩૮૦ ૦૨૨૪૦ અથવા રાજ્યની હેલ્પલાઇન ૧૦૪ કે કેન્દ્રની હેલ્પલાઇન ૧૦૭૫ ઉપર તાત્કાલિક જાણ કરવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આવી માહિતી છુપાવવી કે મોડી આપવી જોખમી સાબિત થઈ શકે છે.