અમરેલી, અમરેલી પીજીવીસીએલ દ્વારા લોકડાઉનની સાથે સાથે વિજ પ્રવાહ મળી રહે તે માટે રવિવારની રજાઓમાં પણ પીજીવીસીએલનાં અધિકારીઓ, કર્મચારીઓ સેવા આપી રહ્યાં છે. હાલ લોકડાઉન 3 ચાલુ થઈલ હોય અને ગરમીનો પારો પણ ઉંચો ચડી ગયેલ હોય આ સમય માં પીજીવીસીએલ ના અધિકારીઓ તથા કર્મચારીઓ કામગીરી સતત વીજપુરવઠો મળી રહે તે માટે કામગીરી કરે છે અને આ લોકડાઉન ના સમય માં દરેક વ્યક્તિ ઘરમાં રહીને ટીવી,એસી,ઇન્ટરનેટ, મોબાઈલ, પંખા માં આનંદ માણી શકે તે માટે પીજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા આ ગરમી ના સમય માં પણ પોલ પર ચડી ને કામગીરી કરે છે અને ઘણા વિસ્તારોમાં માં હાલ એસી નો લોડ આવી ગયેલ હોય લો વોલ્ટેજ ની ફરીયાદો સામે આવતા પીજીવીસીએલ ના અધિકારી શ્રી કાલાણી અને તેનો સ્ટાફ ગરમીની અને રવિવાર ની રજા ના દિવસમાં પણ કામિગીરી કરતા માલુમ પડેલ છે અને શહેર ના જુદા જુદા વિસ્તારો જેવા કે અવધ રેસિડન્સ,ખોડિયાર નગર બ્રાહ્મણ સોસિયટી, સ્વામી નારાયણ નગર,યોગી નગર,રણુજા ધામ સોસાયટી, વાત્સલ્ય બંગલોઝ જેવા વિસ્તારોમાં લો વોલ્ટેજ ની સમસ્યા નું નિરારકણ કરી આપેલ અને લોકો તેમના ઘરમાં સુરક્ષિત રહી શકે તે માટે પીજીવીસીએલ પણ કોરોના ની આ લડાઈમાં કોરોના વોરીર્યસ તરીકે કામગીરી કરી રહ્યુ છે.આ ઉપરાંત પીજીવીસીએલ શહેર પેટા દ્વારા જરૂરિયાત મંદ લોકોને ચોથી વખત કીટ નું વિતરણ કરવામાં આવેલ હતું.