અમરેલી જિલ્લામાં યમરાજનો મુકામ : કોરોનાનાં 4 દર્દીઓના મોત

  • બીજો રાઉન્ડ ખતરનાક સાબિત થઇ રહયો છે : લોકો સાવચેત થયાં પણ મોડા મોડા : કોરોના ઘેર ઘેર પહોંચી રહયો છે 
  • અમરેલીમાં કોરોનાની સારવાર લઇ રહેલા બાબરાના ઘુઘરાળા ગામના 75 વર્ષના વૃધ્ધા, બગસરાના હામાપુરના 70 વર્ષના વૃધ્ધ અને માવજીંજવા ગામના 60 વર્ષના વૃધ્ધાના સારવાર દરમિયાન મૃત્યું થયાં
  • બગસરાના હામાપુરમાં વિકટ બનતી સ્થિતી : એક કોરોના પોઝિટિવ અને બીજા ત્રણ મળી એક જ દિવસમાં ચારના મોત : માત્ર ત્રણ દિવસમાં નવનાં મોતથી હામાપુરમાં હાહાકાર : છ પોઝિટિવ દર્દી મળ્યાં

અમરેલી,
અમરેલી જિલ્લામાં આવેલો કોરોનાનો બીજો રાઉન્ડ ખતરનાક સાબિત થઇ રહયો છે અને મહિલા દિવસ પહેલા બેદરકાર થયેલા લોકો હવે સાવચેત થયા પણ મોડા મોડા થયા હોય તેમ અત્યારે પોતાનું સ્વરૂપ બદલી કોરોના ઘેર ઘેર પહોંચી રહયો છે અમરેલી જિલ્લામાં યમરાજનો મુકામ હોય તેમ આજે ગુરૂવારે કોરોનાની સારવાર લઇ રહેલા 4 દર્દીઓના મોત થયા છે.
અમરેલીમાં કોરોનાની સારવાર લઇ રહેલા બાબરાના ઘુઘરાળા ગામના 75 વર્ષના વૃધ્ધા, બગસરાના હામાપુરના 70 વર્ષના વૃધ્ધ અને બગસરા તાલુકાના માવજીંજવા ગામના 60 વર્ષના વૃધ્ધાના સારવાર દરમિયાન મૃત્યું થયા છે આ ઉપરાંત જેને કોરોના ન હોય તેવા 9 મૃત્યુના બનાવ બુધ અને ગુરૂ બે દિવસ દરમિયાન અમરેલી શહેરમાં બન્યા છે બુધવારે અમરેલી શહેરમાં કોરોના ન હોય અને અન્ય બિમારી કે વૃધ્ધાવસ્થાથી મૃત્યુના 6 બનાવ અને ગુરૂવારે આજે ત્રણ બનાવ બન્યા છે.
બીજી તરફ બગસરાના હામાપુરમાં સ્થિતી વિકટ બની રહી હોય તેમ આજે હામાપુરના એક કોરોના પોઝિટિવ અને બીજા ત્રણ મળી એક જ દિવસમાં ચારના મોત થયા છે જેમાં અમરેલીમાં મૃત્યુ પામેલ કોરોના પોઝિટિવ દર્દીના સગાભાઇ કે જે સુરત રહે છે તેમનું પણ મૃત્યુ નીપજ્યુ છે અને મંગળવારે અહીં પાંચ મૃત્યુના બનાવ બન્યા બાદ ગુરૂવારે વધુ ચાર બનાવ બનતા માત્ર ત્રણ દિવસમાં નવનાં મોતથી હામાપુરમાં હાહાકાર મચી ગયો છે બીજી તરફ આજે ગામમાં થયેલા રેપીડ કેમ્પમાં છ પોઝિટિવ દર્દી મળ્યાં હોવાનું શ્રી ધીરૂભાઇ માયાણીએ જણાવ્યુ છે તંત્ર દ્વારા હામાપુરમાં તમામ તકેદારીના પગલા લેવાઇ રહયા છે.