અમરેલી,અમરેલી જિલ્લામાં રોજે રોજ હજારોની સંખ્યામાં પ્રવેશી રહેલા હમ વતનીઓને હોમ કવોરન્ટાઇનની સુચનાનું પુરૂ પાલન કરવા કલેકટરશ્રી દ્વારા વિનંતી કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં હોમ કવોરન્ટાઇન કરાયેલા લોકોને બહાર ન નીકળવા અપીલ કરતા કલેકટરશ્રી આયુષ ઓકએ અન્યોની જિંદગીને જોખમમાં મુકનારાઓની સામે કરાયેલી કાર્યવાહીની તસ્વીર સાથે ટ્વીટ કરી અને ઘરથી બહાર નીકળનાર સામે પગલા લેવા ચેતવણી આપી હતી.