અમરેલી,અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરીની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટીને ફરાર થઇ ગયેલ નાસતા ફરતા કેદી કૈલાશ ભાઇ સોમાભાઇ સોલંકી, ઉ.વ.37, રહે.જાફરાબાદ, પીપળી કાંઠા, તા.જાફરા બાદ, જિ.અમરેલી ને રાજુલા બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.ફરાર થયેલ કેદી અમરેલી જિલ્લા જેલ ખાતે પ્રોહિબીશનના કેસમાં કાચા કામના કેદી તરીકે હોય અને હાલ કોરોના વૈશ્વિક મહામારી સબબ આ કેદીને તા.18/01/2022 ના રોજ દિન-60 માટે વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ. આ કેદીને તા.20/03/2022 ના રોજ અમરેલી જિલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ આ કેદી જિલ્લા જેલ ખાતે હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો. પકડાયેલ કેદીને અમરેલી જિલ્લા ખેલ ખાતે કેદ રહેવા સારુ મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.