અમરેલી, કોરોના વાયરસને કારણે અમરેલી કલેકટર દ્વારા જુનાગઢ જિલ્લાના વિસાવદર, તાલુકા અને ધારી તાલુકાના રસ્તા બંધ કરેલ છે આ બાબતે રાવણીના રહીશ 25 થી 30 ખેડુતોએ તેની જમીન ધારીના મીઠાપુર અને સોઢાપુરા ગામમાં હોવાથી મુશ્કેલી પડે છે. બંને ગામ વચ્ચે રસ્તો બંધ થતા રાવણીના ખેડુતો તેમની જમીનમાં જઇ શકે તેમ નથી આજુ બાજુમાં પણ એક તરફે ગાડા જઇ શકે તેમ ન હોય તેથી પારાવાર મુશ્કેલી પડે છે આ બંધ રસ્તાને થોડે દુર બંધ કરે તો પ્રશ્ર્ન હલ થઇ જાય તેમ છે તેથી યોગ્ય પ્રબંધ કરવા ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણીને પત્ર પાઠવી રજુઆત કર્યાનું કરશનભાઇ વાડદોરીયાએ અખબારી યાદીમાં જણાવ્યુ છે.