અમરેલી પીજીવીસીએલનાં કર્મચારીઓ અને અધિકારીઓને ટેબલેટનું વિતરણ

અમરેલી,અમરેલીમાં પીજીવીસીએલાના અધિકાારીઓ કર્મચારીઓ મલ્ટી વિટામીન ટેબલેટનું વીતરણ કરવામા આવ્યું હતું.કોરોના મહામારી માં ખુબ જ અગત્ય નો ભાગ ભજવતા પીજીવીસીએલ ના કર્મચારીઓ ની રોગ પ્રતિકારક શક્તિ વધે અને એમને મહામારી થી રક્ષા કવચ મળે એ હેતુ થી ડો. કાનાબાર અને પી પી સોજીત્રા એ એમની સ્વાસ્થ્ય ની ખાસ ચિંતા કરી ને મલ્ટી વિટામિન ટેબ્લેટ નું વિતરણ કર્યું અને સ્ટાફ વતી,શ્રી. કે આર પરીખ (કાર્યપાલક ઈજનેર) અને શ્રી એમ એચ કાલાણી(નાયબ ઈજનેર) એ સ્વીકાર્યું હતુ.તબક્કાવાર તમામ ક્ષેત્ર ને આવરી લઈને સૌની ચિંતા કરનાર ડો.કાનાબાર અને પી પી સોજીત્રાને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.