અમરેલી, અમરેલી શહેર અને જીલ્લામાં લોક ડાઉનની સ્થિતિમાં ગરીબ લોકોને પુરવઠો મળી રહે તે માટે સરકારના અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ દ્વારા જેતે વ્યાજબી ભાવની દુકાનો તા. 31 માર્ચના પુરવઠો પહોંચાડતા બી.પી.એલ., એન. એફ. એસ. એ. કાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાનો પર અનાજનો જથ્થો મેળવવા માટે વહેલી સવારથી રેશનીગની દુકાનો પર કતારોમાં ઉભા રહયા હતા. પોલીસ અને હોમગાર્ડ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.