અમરેલી સારહી તપોવન આશ્રમમાં રૂા.11 હજારનું દાન અપાયું

અમરેલી,

સેવાને સરનામે _ઉમળકા સાથે સ્વ. શકુંતલાબેન પ્રવિણચંદ્ર જાની નાં સ્મરણાર્થે (હસ્તક : શ્રી ડો. નિલેશભાઈ પી. જાની દ્વારા સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત સારહી તપોવન આશ્રમ નાં ભગીરથ નિર્માણ કાર્ય માટે તુલસીપત્ર રૂપે ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી સ્વરૂપે 11,000/- રૂપિયા નું અનુદાન તા. 24/08/2023 નાં રોજ આપેલ સાથો સાથ સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓની વિગત મેળવી સંસ્થા ની પ્રગતિ અંગે સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન દ્રષ્ટા – પ્રેરણા સ્ત્રોત પ્રમુખશ્રી મુકેશભાઇ સંઘાણી અને સમગ્ર સારહી પરિવાર ને શુભકામનાઓ પાઠવી આ તકે સારહી પરિવાર વતી તપોવન આશ્રમ નાં સ્વપ્ન – દ્રષ્ટા મુકેશભાઇ સંઘાણી, વેપારી અગ્રણીશ્રી ગીરીશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહેલ સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ.