આપણે ન્યૂયોર્કનું ૯/૧૧ કે મુંબઈનું ૨૬/૧૧ ફરી થવા દઈ શકીએ નહીં : ભારતીય વિદૃેશમંત્રી

પાકિસ્તાની પત્રકારની સવાલનો જયશંકરે આપ્યો જડબાતોડ જવાબ

ચીન અને પાકિસ્તાનના આતંકવાદને લઈને વિદૃેશમંત્રીએ કહૃાું, “આંતરરાષ્ટ્રીય સમુદાયે સામુહિક રીતે એ દૃેશો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ”

ભારતના વિદૃેશમંત્રી એસ જયશંકરે ગુરુવારે ચીન અને પાકિસ્તાનના આતંકવાદને લઈને બેવડા માપદૃંડ પર નિશાન સાધ્યું. તેમણે કહૃાું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે સામુહિક રીતે એ દૃેશો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ જે તેના દ્વારા રાજનીતિક રીતે ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહૃાા છે. સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી બ્રિફિંગમાં તેમણે કહૃાું કે આપણે ન્યૂયોર્કનું ૯/૧૧ કે મુંબઈનું ૨૬/૧૧ ફરી થવા દઈ શકીએ નહીં. ત્યારબાદ જયશંકરે પ્રેસના સવાલોના જવાબ પણ આપ્યા અને પાકિસ્તાની રિપોર્ટરની બોલતી બંધ કરી દીધી. વાત જાણે એમ છે કે પત્રકારોના સવાલોના જવાબ આપવાના એક સત્રમાં એક પાકિસ્તાની પત્રકારે જયશંકરને એક પ્રશ્ર્ન પૂછ્યો. પાકિસ્તાની પત્રકારનો સવાલ દક્ષણ એશિયામાં આતંકવાદને લઈને હતો. ભારતીય વિદૃેશમંત્રીએ આ સવાલનો જવાબ અગ્નિ-૫ મિસાઈલ જેવી મારક ક્ષમતા જેવો આપ્યો. પાકિસ્તાની પત્રકારે પૂછ્યું કે દક્ષિણ એશિયાએ ક્યાં સુધી આ આતંકવાદ ઝેલવો પડશે જે નવી દિલ્હી, કાબુલ, અને પાકિસ્તાનથી ફેલાઈ રહૃાો છે? આ પ્રશ્ર્ન પર નજર ફેરવીએ તો પાકિસ્તાની પત્રકારે આતંકવાદ ફેલાવનારાઓની યાદીમાં ભારતને પણ સામેલ કરવાની કોશિશ કરી પરંતુ પત્રકારની આ હરકત અને તેના એજન્ડાને જયશંકરે ઓળખી કાઢ્યો. તેમણે કહૃાું કે પહેલા તેઓ આતંકવાદ પર જવાબ લઈ લે. જયશંકરે પાકિસ્તાની પત્રકારને કહૃાું કે તેમણે આતંકવાદ પર પાકિસ્તાનના મંત્રીને સવાલ કરવો જોઈએ, ભારતના મંત્રીને નહીં. તેમણે કહૃાું કે પાકિસ્તાન દૃુનિયાનું ધ્યાન ભટકાવવાની ગમે તેટલી કોશિશ કરે પરંતુ હવે દૃુનિયા તેની વાતોમાં આવશે નહીં કારણ કે બધાને ખબર પડી ગઈ છે કે આતંકવાદની જનની કોણ છે. જયશંકરે પાકિસ્તાની પત્રકારને કહૃાું કે, ’તમને ખબર હોવી જોઈએ કે તમે ખોટા મંત્રીને પૂછી રહૃાા છો કે આખરે આ બધુ ક્યાં સુધી ચાલશે. તમારે પાકિસ્તાનના મંત્રીને એ પૂછવું જોઈએ કારણ કે પાકિસ્તાન ક્યાં સુધી આતંકવાદનો સહારો લેતું રહેશે એ તો એ જ જણાવી શકશે. આખરે દૃુનિયા મુરખ નથી અને ન તો કઈ ભૂલે છે. દૃુનિયા આતંકવાદમાં સંડોવાયેલા દૃેશો, સંગઠનો અને લોકોની ઓળખ સારી પેઠે કરી શકે છે. તમે ચર્ચાને નવા નવા વળાંક આપીને આતંકવાદ પર પડદો નાખવામાં સફળ થઈ શકશો નહીં. તમે કોઈને પણ હવે ગૂંચવણમાં રાખી શકશો નહીં. લોકોએ બરાબર રીતે સમજી લીધુ છે કે આતંકવાદનો ગઢ ક્યાં છે. આથી મારી સલાહ છે કે કૃપા ઢંગથી કામ કરો અને સારા પાડોશી બનવાની કોશિશ કરો, કૃપા કરીને એ કરો જે આજે દૃુનિયા કરી રહી છે- આર્થિક વિકાસ, પ્રગતિ, વિકાસ, આશા રાખુ છું કે તમારી ચેનલ દ્વારા આ સંદૃેશ ત્યાં (પાકિસ્તાનને) પહોંચી જશે. આ અગાઉ વિદૃેશમંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પત્રકારો સાથે વાતચીતમાં કહૃાું કે દૃુનિયા પાકિસ્તાનને આતંકવાદના કેન્દ્ર તરીકે જુએ છે. તેમણે ભારપૂર્વક કહૃાું કે બે વર્ષના કોવિડ ૧૯ મહામારીના દોર છતાં વૈશ્ર્વિક સમુદાય એ નથી ભૂલ્યું કે આતંકવાદની આ બદીના મૂળ ક્યાં છે. જયશંકરે ’યુએનએસસી બ્રિફિંગ: ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ એપ્રોચ: ચેલેન્જ એન્ડ વે ફોરવર્ડ’ વિષય પર થયેલી ચર્ચાની અધ્યક્ષતા કરી. વિદૃેશમંત્રીએ કહૃાું કે તેઓ જે પણ કઈ કહી રહૃાા હોય, પણ સચ્ચાઈ એ છે કે બધા લોકો, સમગ્ર દૃુનિયા આજે તેમને આતંકવાદના કેન્દ્ર તરીકે જુએ છે. જયશંકરે કહૃાું કે મને ખબર છે કે આપણે અઢી વર્ષથી કોવિડ સામે ઝઝૂમી રહૃાા છીએ અને આ કારણે યાદો થોડી ધૂંધળી થઈ ગઈ છે. પરંતુ હું તમને આશ્ર્વાસન આપું છું કે દૃુનિયા એ નથી ભૂલી કે આતંકવાદ શરૂ ક્યાંથી થાય છે અને ક્ષેત્રમાં તથા ક્ષેત્ર બહાર તમામ ગતિવિધિઓ પર કોની છાપ નજરે ચડે છે. તેમણે કહૃાું કે આથી હું કહીશ કે કોઈ પણ પ્રકારની કલ્પનામાં જીવવા કરતા તેમણે પોતાને એ વાત યાદ અપાવવી જોઈએ. જયશંકર પાકિસ્તાનના વિદૃેશ રાજ્યમંત્રી હિના રબ્બાની ખારના હાલના આરોપ પર પૂછાયેલા સવાલનો જવાબ આપી રહૃાા હતા. ખારે આરોપ લગાવ્યો હતો કે આતંકવાદનો ઉપયોગ ભારતથી સારું અન્ય કોઈ દૃેશે કર્યો નથી. વિદૃેશમંત્રી જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ પાકિસ્તાનને ફટકાર પણ લગાવી હતી. તેમણે કહૃાું કે જે દૃેશે અલ કાયદાના પૂર્વ ચીફ ઓસામા બિન લાદૃેનને સુરક્ષિત આસરો આપ્યો અને પાડોશી દૃેશની સંસદ પર હુમલો કર્યો તેને યુએનની આ શક્તિશાળી સંસ્થામાં ઉપદૃેશ આપવાનો કોઈ અધિકાર નથી. સુરક્ષા પરિષદમાં સંશોધિત બહુપક્ષવાદ પર ચર્ચા દરમિયાન જ્યારે ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજ અધ્યક્ષતા કરી રહૃાા હતા ત્યારે પાકિસ્તાની વિદૃેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. બિલાવલે કહૃાું હતું કે કાશ્મીરનો મુદ્દો હજુ ઉકેલાયો નથી. જો તમે (ભારત) બહુપક્ષવાદની સફળતા જોવા માંગતા હોવ તો કાશ્મીરના મુદ્દે તમે UNSC ના પ્રસ્તાવને લાગૂ કરવાની મંજૂરી આપી શકો છો. સાબિત કરો કે તમારી અધ્યક્ષતામાં UNSC અમારા ક્ષેત્ર (કાશ્મીર)માં શાંતિ લાવી શકે છે.