અમરેલી,
લોકડાઉનનાં આજે 50મો દિવસ પુરો થનાર છે. અમરેલીનાં એસપીશ્રી નિર્લિપ્ત રાય સતત ચેકપોસ્ટ અને ક્વોરન્ટાઇન સેન્ટરોની મુલાકાતો લઇ જરૂરી સુચનાઓ આપી રહ્યાં છે. કોરોના વાયરસથી બચવા માટે લાગુ કરાયેલા લોકડાઉનને આજે 50મો દિવસ પુરો થશે છેઉલ્લા 49 દિવસથી અમરેલી જિલ્લાના ખુણે ખુણામાં એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા તકેદારી રખાઇ રહી છે ત્યારે આજે જિલ્લાની ચાવંડ અને ભોરીંગડા ચેકપોસ્ટની મુલાકાત તેમણે લીધી હતી.
આ ઉપરાંત સરકાર દ્વારા શરૂ થયેલા કવોરન્ટાઇન સેન્ટરની પણ મુલાકાત લઇ અને લોકોને કવોરન્ટાઇન પાળવા તથા નિયમોનું પાલન કરવા અને જ્યારે ફરજ પરના ડોકટર મેડીકલ તપાસણી કરી રજા આપે ત્યારે જ ઘેર જઇ કોરોનાથી બચવા અને લોકોને બચાવવા સરકારની તમામ ગાઇડલાઇન અને કાયદાનું પાલન કરવા એસપીશ્રી નિર્લિપ્ત રાયએ લોકોને સુચના આપી અપીલ કરી હતી.