બાલાસોર,તા.૨૭
ઓડિશાના બાલાસોર જિલ્લાના ચંદૃનેશ્ર્વરમાં આવેલ યૂનિયન બેક્ધની એક શાખામાંથી હથિયારધારી બદૃમાશોની એક ટોળકીએ ધોળાદિૃવસે ધાડ પાડી હતી. જ્યાં તેઓ ૩૦થી ૪૦ લાખ રૂપિયા લૂંટીને લઈ ગયા હતા. પ્રાથમિક જાણકારી અનુસાર, બેક્ધ લૂંટની ઘટનામાં લગભગ ૭થી ૮ બદૃમાશો સામેલ હતા. આ ઘટના બપોરે લગભગ ૧.૨૦ કલાકે થઈ હતી. તમામ બદૃમાશો ગ્રાહકો બનીને બેક્ધમાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે, હથિયારબંધ બદૃમાશોએ બેક્ધના તમામ કર્મચારીઓને એક રુમમાં બંધ કરી રોકડ અને સોનાના ઘરેણાં લૂંટી લીધા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ આવી પહોંચી અને લોકર રુમ ખોલીને બેક્ધ કર્મચારીઓને છોડાવ્યા હતા. જલેશ્ર્વર એસડીપીઓ અને ચંદૃનેશ્ર્વર પોલીસ અધિકારીઓએ આ ઘટનાની તપાસ શરુ કરી દૃીધી છે. આશંકા છે કે, બદૃમાશોએ આ ઘટનાને અંજામ આપ્યા બાદૃ પશ્ર્ચિમ બંગાળ તરફ ભાગ્યા હતા.