કર્ણાટકમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા રાજ્ય વિધાનસભાની અંદર વીર સાવરકરની તસવીર લગાવવામાં આવ્યા બાદ, વિરોધ પક્ષોએ વિધાનસભા બિલ્ડિંગના પગથિયાં પર જ વિરોધ કરવાનું શરૂ કર્યું છે. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના નેતા સિદ્ધારમૈયા, જેઓ હાલમાં વિરોધ પક્ષના નેતા છે, તેમણે વિરોધનું નેતૃત્વ કર્યું અને કર્ણાટક વિધાનસભામાં વિવાદાસ્પદ વ્યક્તિના ચિત્રની જરૂરિયાત પર પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. આ મુદ્દે કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્માઈએ કહૃાું કે, “મને એસેમ્બલીમાં લગાવવામાં આવેલા ફોટો વિશે જાણ નથી… હું હમણાં જ પહોંચ્યો છું, અને વિધાનસભાની અંદર જે થાય છે તેના માટે સ્પીકર જવાબદાર છે… આ મુદ્દે સ્પીકર અને વિપક્ષના નેતા સાથે વાત કરીશ.” વિનાયક સાવરકરને લઈને કર્ણાટકમાં ચાલી રહેલા વિવાદોમાં આ નવો છે, જ્યારે રાજ્યમાં આવતા વર્ષે ફરીથી વિધાનસભાની ચૂંટણી થવાની છે. જણાવી દઈએ કે, રાજ્યની ભાજપ સરકાર વીર સાવરકર વિશે રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન ચલાવી રહી છે, તેનાથી એક પગલું આગળ વધીને આ વખતે વિધાનસભામાં સાવરકરનું ચિત્ર મૂક્યું છે. વીર સાવરકર બેલાગવી સાથે પણ સંકળાયેલા છે, જે કર્ણાટક અને પડોશી મહારાષ્ટ્ર વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદનું કેન્દ્ર છે. વર્ષ ૧૯૫૦ માં, સાવરકરને બેલગાવીની હિન્ડલગા સેન્ટ્રલ જેલમાં ચાર મહિના માટે સાવચેતીપૂર્વક કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. તે સમયે મુંબઈથી તેની ધરપકડના આદૃેશ જાહેર કરવામાં આવ્યા હતા અને તે બેલાગવી પહોંચતા જ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન બનેલા લિયાકત અલી ખાનની મુલાકાતનો વિરોધ કરતા અટકાવવા સાવરકરને નિવારક અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. સાવરકરને તેમના પરિવાર દ્વારા અરજી દાખલ કરવામાં આવ્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. તેણે બોમ્બે હાઈકોર્ટમાં એફિડેવિટ પણ દાખલ કરી હતી, જેમાં તેણે રાજકીય ગતિવિધિઓથી દૃૂર રહેવાનું વચન આપ્યું હતું. બસવરાજ બોમાઈની આગેવાની હેઠળની ભાજપ સરકારનું છેલ્લું શિયાળુ સત્ર, આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા, બેલાગવીમાં પણ યોજાઈ રહૃાું છે. ૧૦-દિવસીય સત્રમાં પણ સરહદ વિવાદનું વર્ચસ્વ રહે તેવી શક્યતા છે. આ સંદર્ભમાં, જિલ્લા પ્રશાસને મહારાષ્ટ્રના શિવસેનાના લોકસભા સાંસદ ધૈર્યશીલ માનેના બેલગાવીમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.