‘કર્યૂ વચ્ચે ‘જગતના નાથ નગરચર્યાએ નીકળશે

  • અખાડા, ટ્રક, ગજરાજ અને ભજન મંડળી, પ્રસાદ પર પ્રતિબંધ, રથયાત્રામાં માત્ર પાંચ વાહનોને જ મંજૂરી, રથયાત્રાનું લાઇવ પ્રસાર કરવામાં આવશે
  • રથયાત્રા નિજ મંદિર પરત નહીં ફરે ત્યાં સુધી તમામ બ્રિજ બંધ રહેશે, વેક્સિનના બે ડોઝ લીધા હશે તે ખલાસીઓને અગ્રિમતા અપાશે
  • રથયાત્રાના રૂટ પર તમામ દુકાનો અને પોળની બહાર પોલીસ-બંદૃોબસ્ત ગોઠવી દેવાયો
  • ૪થી ૫ કલાકમાં રથયાત્રા પૂરી થશે, ૧૯ કિમીના રૂટમાં બપોરે ૨ વાગ્યા સુધી કરયૂ રહેશે

અમદાવાદમાં ૧૪૪મી રથયાત્રાને સીએમ રૂપાણી સરકારે પરવાનગી આપી દીધી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપિંસહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાણકારી આપી હતી. કરયૂ સાથે અમદાવાદમાં રથયાત્રા નીકળશે. અને મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. સાથે જ પિંહદ વિધિ સીએમ રૂપાણી અને નીતિન પટેલે દ્વારા કરવામાં આવશે.

રથયાત્રાના સમગ્ર માર્ગ પર પ્રસાદના વિતરણ પર પ્રતિબંધ રહેશે. રથયાત્રા જ્યાંથી પસાર થવાની છે ત્યાં કરયૂનો અમલ કરાવીને મંદિરથી પ્રસ્થાન કરીને નીજ મંદિરે પરત આવે ત્યાં સુધી દર્શનાથીઓ એકાએક રથની નજીક આવીને કોરોના પ્રોટોકોલનો ભંગ ન થાય તે માટે કરયૂના અમલ સાથે રથયાત્રા કાઢવાની પરવાનગી આપી છે. અમદાવાદની ઐતિહાસિક અને ભવ્ય રથયાત્રા છે તેમાં સવારે દેશના ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીની અંદર ઉપસ્થિત રહીને વર્ષોની પરંપરા અનુસાર હાજર રહેશે. અને સવારે રથના પ્રસ્થાનની પિંહદ વિધિ સીએમ વિજય રૂપાણી અને નીતિન પટેલની ઉપસ્થિતિમાં મર્યાદિત લોકોની હાજરીમાં પિંહદ વિધિ કરી અને પછી રથનું પ્રસ્થાન કરવામાં આવશે.

આ જે િંચતા કરી રહૃાા છે તેનું કારણ બીજી કોરોનાની લહેરનો આપણને અનુભવ છે અને સંભવિત ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર અત્યારે આગોતરું આયોજન કરી રહૃાું છે. તેમાં આના કારણે કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે આ પ્રોટોકોલ રાખવામાં આવ્યા છે. લોકોને હું વિનંતી કરું છું કે રથયાત્રાના લાઈવ કવરેજ કરવામાં આવનાર છે. જેથી કરીને જુદી જુદી પોળોમાં લોકો એકત્રિત થતાં હોય છે, સમૂહ ભોજન કરતાં હોય છે. તેવામાં કોરોના પ્રોટોકોલ હેઠળ જે પરવાનગી આપી છે તેમાં કોઈએ રોડ પર આવીને દર્શન કરવાના નથી અને ટીવી ચેનલના લાઈવ કવરેજના માધ્યમથી દર્શન કરવાના છે.

રથયાત્રામાં પાંચ જેટલાં વાહનો રથયાત્રાની પરંપરાગત ૩ જેટલાં રથ, મહંત શ્રી સાથે પાંચ વાહનોને પરવાનગી આપવામાં આવશે. જે ખલાસીઓ રથ ખેંચતા હોય છે તેઓને ૪૮ કલાક આરટીપીસીઆર નેગેટિવ અને પ્રથમ ડોઝ રસીનો લીધો હોવો જોઈએ અને બંને ડોઝ લીધા હોય તેવા ખલાસીને અગ્રિમતા આપવામાં આવશે. અને નિયત માત્રાની અંદર અંતર રહે તેમજ નક્કી કરેલ લોકો સિવાય રથ પર કોઈ ઉપસ્થિત ન રહે તેની સૂચના આપવામાં આવી છે. જે લોકો રથયાત્રા સાથે જોડાશે ફેસ કવર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. કોરોનાની મહામારીની વચ્ચે પણ કોરોનાના કેસો સતત અભ્યાસ કરીને કયા પ્રકારે લોકોની આસ્થાનું જતન કરી શકાય તે માટે સીએમ રૂપાણી દ્વારા કોર કમિટીની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખાસ કરીને અમદાવાદ શહેરની રથયાત્રા નીજ મંદિરથી નીકળીને સરસપુર મોસાળમાં નિયત કરેલાં સમયે નિયત કરેલા લોકો ઉપસ્થિત રહેશે અને નિયત સમય સુધી જ રોકાણ કરાશે અને ફરીથી નીજ મંદિર સુધી પહોંચે ત્યાં સુધીનું આયોજન કરાયું છે. આ વખતની રથયાત્રા પરંપરાગત રથયાત્રા કરતાં અલગ રીતે કરવામાં આવી છે. હાથી, ટ્રકો, ભજન મંડળીઓ અને અખાડાઓને મંજૂરી આપવામાં આવેલી નથી.

૭ પોલીસ સ્ટેશનનો વિસ્તાર રથયાત્રા સાથે સંકળાયેલ છે અને તેમાં કરયૂ લગાવવામાં આવશે. આગોતરી લોકોને જાણકારી આપવામાં આવી છે કે રથ નીજમંદરિથી નીકળી અને પરત ફરે ત્યાં પશ્ર્ચિમ અને પૂર્વ અમદાવાદને જોડતાં તમામ બ્રિજ ટ્રાફિક માટે બંધ રાખવામાં આવશે.