અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા અમદાવાદ મધ્યસ્થ જેલમાં ખુનના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાની રજા ઉપર છુટી, ફરાર થઇ ગયેલ એવા છેલ્લા પંદર વર્ષથી નાસતા ફરતા કેદીને અમરેલી મુકામેથી પકડી પાડવામાં સફળતા મેળવેલ છે. એકવીસ વર્ષ પહેલા રાજુલા શહેરમાં જાફરાબાદ રોડ ઉપર આવેલ રેઇમ્બો સોસાયટીમાં મરણ જનાર કાળુભાઇ ગીગાભાઇ કુંભાર, રહે.રાજુલા નાઓને આ કામના આરોપીઓએ તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ ઇજાઓ કરી, ખૂન કરી, ગુનો કરેલ હોય, જે અંગે રાજુલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. 93/2001, ઇ.પી.કો. કલમ 302, 120(બી) વિ. મુજબનો ગુનો રજી. થયેલ હતો. આ ગુનાના કામે આરોપીઓ (1) લાભુબેન વા/ઓ કાળાભાઇ ગીગાભાઇ કુંભાર (ર) રહીમ નુરમહમદ બ્લોચ તથા (3) મગન કમાભાઇ દેવીપુજકનાઓને અટક કરવામાં આવેલ હતાં. જે કેસ નામ. ફાસ્ટટ્રેક કોર્ટ, અમરેલી ખાતે ચાલી જતાં, નામ. કોર્ટ દ્વારા આરોપી નં.(1) તથા (ર) ને આજીવન કેદની સજા કરવામાં આવેલ હતી. રહીમ નુરમહમદભાઇ બ્લોચ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતો હતો. તેને નામ.ગુજરાત હાઇકોર્ટના હુકમથી વચગાળાની દિન-21 ની રજા મંજુર થતાં, તા.14/09/2007 થી દિન-21 ની રજા ઉપર મુક્ત થયેલ. તેને તા.06/10/2007 ના રોજ તેને જેલમાં હાજર થવાનું હતું પરંતુ રહીમ નુરમહમદભાઇ બ્લોચ જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા પંદર વર્ષથી નાસતો ફરતો હતો. તે નુરમહમદભાઇ બ્લોચ, ઉં.વ.48, રહે.મુળ ધોકડવા, તા.ગીર ગઢડા, જિ.ગીરસોમનાથ, હાલ રહે.સુરત, કામરેજ, તા.જિ.સુરત.ને આજીવન કેદની સજા ભોગવવા માટે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.