સાવરકુંડલા,
સાવરકુંડલા શહેરી વિસ્તારમાં લાંબા સમયથી ધાબળીયુ હવામાન અને વરસાદના કારણે વિસ્તારોમાં પાણીના ખાડાઓ ભરેલા છે ત્યારે સામાન્ય રીતે ચોમાસામાં જ ચોખ્ખા પાણીમાં થતા ડેન્ગ્યુના મચ્છરો નું બ્રીડિંગ પણ થઇ રહયું છે ત્યારે મચ્છરથી રોગચાળો વકરે તે પહેલા વોર્ડ નંબર 6 ના વિસ્તારો (1) વિધુતનગર સોસાયટી (2) વિધુતનગર સામેની વસાહત (3) દેવીપૂજક વિસ્તાર (4) શિવમપાર્ક સોસાયટી (5) ગાયત્રી સોસાયટી (6) આનંદપાર્ક સોસાયટી (7)ગાયત્રીની બાજુનો વિસ્તાર (8) વેલનાથપરા (9) એશીયાડ સોસાયટી (10) અંબિકા સોસાયટી (11) યોગેશ્વર સોસાયટી (12) ઇન્દિરા વસાહત (13) ફેન્ડ સોસાયટી (14) ભાવના સોસાયટી (15) ગુજ. હા. સોસાયટી (16) કોલેજ રોડ (17) કર્મચારી સોસાયટી (18) ગાંધી સોસાયટી (19) બીડીકામદાર સોસાયટીપછાત વિસ્તારો અને સોસાયટીઓમાં દવાનો છંટકાવ તેમજ ફોગીંગ ઝુંબેશ ચાલુ કરવી પડે તેમ છે વધુ મા નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે જણાવ્યું છે કે અનેક સ્થળોએ રસ્તાઓ અને સોસાયટીઓ માં પાણીના ખાડાઓ ભરેલા છે જો વહેલી તકે વોર્ડ નંબર 6 ના વિસ્તારોમાં સાફ સફાઇ અને દવાનો છંટકાવ નહી કરવામાં આવેતો ઉપરોક્ત વિસ્તારો મચ્છર જન્ય રોગચાળા નો ભોગ બનશે મચ્છર જન્ય રોગચાળા ને કાબુ માં લેવા માટે વિસ્તારોમાં ફોગીંગ ઝુંબેશ ચાલુ કરવી જરૂરી છે તેમજ વોર્ડ નંબર 6 ના મારા વિસ્તાર ના લોકો ની સુખાકારી જળવાઇ રહે તેમાટે રોગચાળો ન ફેલાય તેની તકેદારી રાખવી જરૂરી હોવાથી નગરપાલિકા દ્વારા તપાસ કરી સેનીટેશન વિભાગ ને સુચના આપવા તથાશરદી -ઉધરસ – તાવ નો રોગચાળો બે કાબુ નબને તે પહેલા વિસ્તારમાં ફોગીંગ ની ઝુંબેશ અને દવાનો છંટકાવ અને ઘેરે ઘેરે પાણી મા નાખવાની કલોરિન ટીકડી નુ વિતરણ કરવા વિસ્તાર ના પ્રતિનિધિ તરીકે ધમેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે નગરપાલિકા ચિફ ઓફીસર શ્રી ને લેખીત મા માંગણી કરેલ છે તેમ અખબારી યાદીમાં જણાવાયું .