આ સમયે વિશ્ર્વમાં આ સમયે ૫ કોરોના વેરિએન્ટ ચિંતાનું કારણ બનેલા છે. તેમાં સામેલ છે- આલ્ફા, બીટા, ડેલ્ટા, ગામા અને ઓમીક્રોન. આ સિવાય ૨ વેરિએન્ટ ઓફ ઇન્ટરસ્ટ મળ્યા છે- લામ્બડા (lambda) અને MU પણ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમાં ૭ વેરિએન્ટના હજારો જીનોમ આશરે ૯૧ હજાર ૩૧૫ અને તેના ૪૦૯ લીનિએજ ભારતમાં જોવા મળ્યા છે. હાલ જે BF7 વેરિએન્ટને લઈને ખતરો વ્યક્ત કરવામાં આવી રહૃાો છે જે ચીનમાં તબાહીનું કારણ બની રહૃાો છે તે પણ ઓમિક્રોનનો વેરિએન્ટ છે. આ વેરિએન્ટ ઓક્ટોબર ૨૦૨૨થી ભારતમાં પણ છે. ભારતમાં આ સમયે સૌથી વધુ કોવિડ કેસ ઓમિક્રોન્ટ વેરિએન્ટના છે. ભારતમાં કોરોના વેરિએન્ટનું જીનોમ સિક્વેન્સિંગ કરનારી ટીમ સીએસઆઈઆરના પ્રિન્સિપલ વૈજ્ઞાનિક ડો. રાજેશ પાંડે પ્રમાણે જો ભારતની મોટી વસ્તી વેક્સીનેડેટ ન હોત તો ઓમિક્રોનનો આ વેરિએન્ટ બીએફ ૭ ખતરનાક સાબિત થાત, પરંતુ હવે ખતરો એટલો મોટો નથી. ડો. પાંડેનું કહેવું છે કે ચીનમાં વેક્સીનેશનનું સ્ટાન્ડર્ડ ભારતના મુકાબલે ખુબ ઓછુ છે. ભારતીય વેક્સીન ખુબ અસરકારક છે અને તે મ્હ્લ ૭ વિરુદ્ધ અસરકારક સાબિત થઈ રહી છે. જાણવા મળી રહૃાું છે કે ગુજરાતના વડોદરામાં કોરોનાના BF7 વેરિએન્ટનો કેસ સામે આવ્યો હતો. ૬૧ વર્ષીય મહિલામાં BF7 વેરિએન્ટ જોવા મળ્યો હતો. કોરોનાનો વેરિએન્ટ મળ્યા બાદ મહિલા ઘરમાં આઇસોલેટ હતી. ફાઇઝરની રસી લગાવ્યા છતાં મહિલા બીએફ ૭થી સંક્રમિત થઈ હતી. આ મહિલા ૧૧ નવેમ્બરે અમેરિકાથી વડોદરા આવી હતી. મહિલાના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા.