તા. ૨.૨.૨૦૨૩ ગુરુવાર, સંવંત ૨૦૭૯ મહા સુદ બારસ,આર્દ્રા નક્ષત્ર, વૈદ્યુતિ યોગ, કૌલવ કરણ આજે બપોરે ૨.૦૧ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો,આનંદ દાયક દિવસ.
કર્ક (ડ,હ) : નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે,દિવસ એકંદરે સારો રહે.
સિંહ (મ,ટ) : નવા લોકો સાથે મળવાનું બને,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : પરિવાર સાથે સમય વિતાવી શકો,આનંદ માણી શકો ,શુભ દિન.
તુલા (ર,ત) : તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય,કામ માં સફળતા મળે.
વૃશ્ચિક (ન ,ય ) : મનોમંથન કરી શકો,પોઝિટિવ વિચારો થી લાભ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા અંદરૂની મામલા નિપટાવી શકો,દિવસ સફળ રહે.
મકર (ખ ,જ ) : કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે,વાણી માં સંયમ રાખવો.
કુંભ (ગ ,સ,શ ) : વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): કોર્ટ કચેરીમાં રાહત મળે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
આજરોજ ૨.૨.૨૦૨૩ છે તારીખમાં અંક ૨ ચાર વાર આવે છે અંક ૨ ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે માટે આ દિવસ પર ચંદ્ર ની વિશેષ અસર જોવા મળશે. ચંદ્રએ મન છે ચંદ્ર એ ઊર્મિ છે ચંદ્ર લાગણી છે ચંદ્ર પાણી છે માટે આ દિવસે વિશેષતઃ લાગણીના સ્પંદનો જોવા મળશે. આપણે પંચાંગ અનુસાર જે તે વારે જન્મેલા જાતકના ગુણ જોઈ રહ્યા છીએ.આજે આપણે ગુરુવારે જન્મેલા મિત્રો વિષે વિચાર કરીએ. ગુરુવારે જન્મેલા મિત્રો જ્ઞાન પિપાસુ હોય છે અને કોઈ પણ રીતે જ્ઞાન એકઠું કરવામાં માનતા હોય છે અને તેમનામાં જ્ઞાનની તરસ હોય છે અને કોઈ પણ શાસ્ત્રના મૂળ સુધી જવાની ઈચ્છા ધરાવતા હોય છે માટે જ ગુરુવારે જન્મેલા મિત્રો સારા શિક્ષકો, કથાકાર, ફિલસૂફ અને અધ્યાત્મ માર્ગના પ્રવાસી બનતા હોય છે વળી મંદિર,શિક્ષણ, શંશોધન, લેખન ,ધર્મ અને ટ્રસ્ટ વિગેરેમાં રુચિ લેતા હોય છે. ગુરુવારે જન્મેલા મિત્રો સારી શિક્ષા અને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી શકે છે અને બીજાને શીખવી પણ શકે છે. તેમનામાં એક સત્વ જોવા મળે છે અને સમાજ તેમને આદરથી જુએ છે અને તેમની સલાહની ગણના કરવામાં આવે છે તેમને સમાજમાં સારું સ્થાન તેમના જ્ઞાન અને શુદ્ધ આચરણને કારણે મળતું હોય છે. ગુરુવારે જન્મેલા લોકો વિચાર મુજબ ખુબ આગળ હોય છે અને કોઠાસૂઝ ધરાવતા હોય છે પરંતુ ક્યારેક આળસ કરી જતા હોય છે અને તેમના વિચારોને પ્રાયોગિક રીતે આગળ ધપાવી શકતા નથી અને વધુ પડતો શારીરિક શ્રમ ટાળતા જોવા મળે છે જો તેઓ વધુ સક્રિય થઇ કર્મ કરે તો વધુ સફળ થતા જોવા મળે છે.