ટેક્સના પૈસાથી જો લોકોને ફ્રી શિક્ષણ, ફ્રી આરોગ્ય આપવામાં આવે તો તેનાથી તેને નુકસાન થતું નથી : કેજરીવાલ
દૃેશમાં છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીમાં ફ્રીની રેવડીનો મુદ્દો ચર્ચામાં છે. રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે જનતાને ફ્રી વસ્તુ આપવાનો વાયદૃો કરે છે. પરંતુ તેની ખરાબ અસર દૃેશના અર્થતંત્ર પર પડી રહી છે, તેવો પણ એક મત વ્યક્ત કરવામાં આવી રહૃાો છે. ચૂંટણીમાં ફ્રીની જાહેરાતોનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગયો છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પાસે પણ જવાબ માંગ્યો છે. પરંતુ હવે આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી પણ આમને-સામને આવી ગયા છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પંજાબની જીત બાદ અમિંરદ કેજરીવાલની નજર ગુજરાત પર છે. તે વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહૃાાં છે અને ચૂંટણીની તૈયારી કરી રહૃાાં છે. અરિંવદ કેજરીવાલે ગુજરાતમાં ૩૦૦ યુનિય ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી છે. તો બેરોજગારોને દર મહિને ૩૦૦૦ રૂપિયા અને મહિલાઓને ૧૦૦૦ રૂપિયા ફ્રી આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના પાણીપતમાં એથેનોલ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર નિશાન સાધ્યુ છે. પીએમ મોદૃીએ કહૃાું કે, રાજનીતિમાં સ્વાર્થ હશે તો ગમે તે આવીને પેટ્રોલ-ડીઝલ ફ્રી આપવાની જાહેરાત કરી શકે છે. દૃેશમાં આવા પગલા આપણા બાળકોનો હક છીનવી લેશે. પીએમ મોદીએ કહૃાું કે, આ પગલા દૃેશને આત્મનિર્ભર બનાવતા રોકશે. આ સાથે તેમણે કહૃાું કે, આ સ્વાર્થભરી નીતિથી દૃેશના ઈમાનદૃાર ટેક્સદૃાતા પર ભારણ વધશે. ફ્રી સુવિધા મુદ્દે પીએમ મોદીના નિવેદન બાદ કેજરીવાલે પલટવાર કર્યો છે. કેજરીવાલે કહૃાું કે, દૃેશના ટેક્સપેયરના પૈસાથી પોતાના કેટલાક મિત્રોના બેક્ધની લોન માફ કરવામાં આવે છે. તેનાથી આ ટેક્સપેયરને નુકસાન થાય છે. પરંતુ આ ટેક્સના પૈસાથી જો લોકોને ફ્રી શિક્ષણ, ફ્રી આરોગ્ય આપવામાં આવે તો તેનાથી તેને નુકસાન થતું નથી. કેજરીવાલે કહૃાું કે ખાવા પીવાની વસ્તુ પર જીએસટી લગાવવાથી ટેક્સપેયરને છેતરિંપડીનો અનુભવ થાય છે. ટેક્સના પૈસા લોકો માટે વાપરવામાં આવે તો ટેક્સપેયર સાથે છેતરિંપડી થતી નથી. પરંતુ પોતાના મિત્રોના કરોડો રૂપિયાની લોન માફ કરવાથી દૃેશના કરદૃાતાને નુકસાન થાય છે. કેજરીવાલે કહૃાુ કે, આ મુદ્દે દૃેશમાં જનમત સંગ્રહ કરાવવો જોઈએ. તેમણે કહૃાું કે, સરકારી પૈસા માત્ર એક પરિવાર માટે વાપરવામાં આવે કે ટેક્સના પૈસા લોકોને સારી ફ્રી સુવિધા માટે વાપરવા જોઈએ, આ માટે એક જનમત સંગ્રહ કરાવવાની જરૂર છે.