સાળંગપુર,
વિશ્ર્વ પ્રસિદ્ધ શ્રી સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિૃરના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકોની ધાર્મિક લાગણી અને આસ્થાને માન આપી દર્શનાર્થીઓ માટે નિશ્ર્ચિત સમય નક્કી કરી દર્શન માટે દ્વાર ખોલવામાં આવ્યાં હતાં. કોરોના મહામારીના કારણે કોરોના વાયરસનો ફેલાવો ન થાય તેવા હેતુસર સરકાર દ્વારા દરેક ધાર્મિક સ્થળો દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
સાળંગપુરમાં દર્શનાર્થીઓ માટે કષ્ટભંજન દેવના દ્વાર ખોલવામાં આવ્યાંઆ આદૃેશ અનુસાર સાળંગપુર શ્રી કષ્ટભંજનદે વ હનુમાનજી મંદિૃર પણ દર્શનાર્થીઓ માટે બંધ હતું, પરંતુ ઘણા ભક્તો અને દર્શનાર્થીઓની ધાર્મિક લાગણી અને આસ્થા કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન કરવાની હોઇ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિૃરના દર્શનાર્થીઓ માટે મંદિૃરના દ્વાર ખોલવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કોરોના ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખી તેમ જ સેનેટાઈઝરથી હાથ ધોવરાવી દર્શનાર્થીઓને અને ભકતોને શ્રી કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરવા દેવાશે.આજે શ્રાવણ માસના શનિવારે ભક્તો અને દર્શનાર્થીઓ માટે સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિૃરના દ્વાર ખોલવામાં આવ્યાં હતાં અને કષ્ટભંજન હનુમાનજી મહારાજને અન્નકૂટમાં ચોકલેટનો થાળ ધરવામાં આવ્યો હતો અને આરતી પણ કરવામાં આવી હતી. અન્નકૂટનો થાળ અને આરતીના દર્શનાર્થીઓએ આનંદપૂર્વક દર્શન કર્યાં હતાં.