ક્રાયોજેનિક એન્જીનમાં ખરાબી આવતા ઈસરોનું EOS-03 મિશન ફેલ

 

  • મિશન કંટ્રોલ સેન્ટરને રોકેટના ત્રીજા સ્ટેજમાં લાગેલા ક્રાયોજેનિક એન્જિનથી ૬:૨૯ મિનિટે સિગ્નલ અને આંકડા મળવા બંધ થઈ ગયા હતા

 

દૃેશના ૭૫માં સ્વતંત્રતા પર્વની તૈયારીઓ વચ્ચે ઈસરોએ દૃેશની સરહદૃો ઉપર ચાંપતી નજર રાખવા માટે ગુરુવારે સવારે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી જીએસએલવી એફ-૧૦ દ્વારા છોડેલા ઉપગ્રહ ઈઓએસ-૦૩નું પ્રક્ષેપણ કર્યું હતું. ક્રાયોજેનિક એન્જિનમાં આવેલી ટેક્નિકલ ખરાબીને લીધે આ મિશન સફળ થઈ શક્યું નહતું અને જીએસએલવી એફ-૧૦ ઉપગ્રહ ઈઓએસ-૦૩ને ઓર્બિટમાં તરતો મુકી શક્યો નહતો.

ઈસરોના ચેરમેન કે સિવને જણાવ્યું કે પ્રક્ષેપણ વખતે ક્રાયોજેનિક તબક્કામાં જોવા મળેલી તકનીકી મુશ્કેલીને લીધે ઈસરોનું જીએસએલવી-એફ૧૦/ઈઓએસ-૦૩ મિશન પૂર્ણ રીતે સફળ થઈ શક્યું નહતું. આ મિશન સફળ રહેવાથી ભારતને મોટો લાભ થઈ શક્યો હોત. જીએસએલવી એફ-૧૦ રોકેટથી સરહદૃો પર નજર રાખવા માટેના ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મુકવાનો હતો. આ માટેનું ૨૬ કલાકનો રિવર્સ કાઉન્ટડાઉન શ્રીહરિકોટામાં બુધવારે શરૂ થયું હતું.

સ્પેસલાઈટ નાઉના મતે ઈસરો ઈઓએસ-૦૩ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં નિષ્પળ રહૃાો છે. ઈસરોએ પુષ્ટિ કરી હતી કે જીએસએલવી એમકે. ૨ લોન્ચ આજે ક્રાયોજેનિક તબક્કામાં જોવા મળેલી ખરાબીને લીધે નિષ્ફળ રહૃાું છે. રિપોર્ટ મુજબ ૨૦૧૭ પછી ઈસરો દ્વારા આ પ્રથમ વખત મિશન નિષ્ફળ રહૃાું છે. અગાઉ ઈસરોના ૧૪ વખત મિશન નિષ્ફળ રહૃાા છે. ફેબ્રુઆરીમાં બ્રાઝીલના- અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ એમેઝોનિયા-૧ અને ૧૮ અન્ય નાના સેટેલાઈટના પ્રક્ષેપણ પછી ૨૦૨૧માં ઈસરોનું આ બીજું પ્રક્ષેપણ હતું.

ઈસરોએ આજે સવારે ૫.૪૩ કલાકે સફળ લોન્ચિંગ કર્યું હતું. સમય મુજબ તમામ સ્ટેજ પૂર્ણ થઈ રહૃાા હતા. અંતે ઈઓએસ-૦૩ને અલગ કરતા પૂર્વે ક્રાયોજેનિક એન્જિનમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ હતી જેને પગલે ડેટા મળવાનું બંધ થયું હતું. ત્યારબાદૃ ઈસરો ચેરમેને મિશન આંશિ રીતે નિષ્ફળ ગયું હોવાનું જણાવ્યું હતું.

આ પ્રક્ષેપણ એપ્રિલ અથવા મેમાં થવાનું હતું, પરુત કોવિડ-૧૯ની બીજી લહેરને પગલે તેને ટાળવામાં આવ્યું હતુ.