- અમરેલી સંસદીય વિસ્તારમાં સતત પડી રહેલ વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાનનો સર્વે કરાવવા
- સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, રાજ્ય કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી હકુભા જાડેજાને લેખિત રજુઆત કરી
અમરેલી,
સાંસદશ્રીએ કરેલ રજુઆત મુજબ ચોમાસાની સીઝનની શરૂઆતમાં ખૂબ જ સારો વરસાદ પડેલ અને જેના લીધે ખેડૂતો તરફથી સમયસર વાવણી પણ થયેલ. પરંતુ છેલ્લા કેટલાક સમય થી પડી રહેલ અતિ વરસાદના લીધે તલ, કઠોળ અને બાજરી જેવા પાકોને 100 ટકા નુકશાન થયેલ છે એટલે કે, આ પાકો સદંતર નિષ્ફળ ગયેલ છે.જ્યારે કપાસ અને મગફળી જેવા પાકોમાં પણ વ્યાપક નુકશાન થયેલ છે. કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની રૂપાણી સરકાર તરફથી ખેડૂત હિતલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને મરજિયાત પ્રીમિયમ વગેરે યોજનાઓ થકી ખેડૂતોને સહાય/રાહત મળી રહી છે ત્યારે અમરેલી સંસદીય વિસ્તારના ખેડૂતોને આ યોજનાઓનો લાભ મળે તે હેતુ થી સત્વરે સર્વે થવો ખૂબ જ જરૂરી છે. કોરોનાની મહામારી વચ્ચે અતિ વરસાદને લીધે ખેડૂતોના પાકને ખૂબ જ નુકશાન થયેલ હોવાને લીધે હાલ ખેડૂતો ખૂબ જ મુશ્કેલી અને મૂંઝવણભરી પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ છે. જેથી અમરેલી સંસદીયવિસ્તારના તમામ ગામોમાં સર્વે કરાવવા અને થયેલ નુક્શાનનું ખેડૂતોને રાહત/વળતર મળી રહે તે માટે સાંસદશ્રીએ સરકારશ્રીમાં રજુઆત કરેલ છે.