- સુરતની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
- ૧૦૦ વર્ષીય કટાર લેખક તરીકે ખ્યાતી પ્રાપ્ત નગીનદૃાસના ગીતા, રામાયણ અને મહાભારતના પ્રવચન પણ લોકપ્રિય
ગુજરાતીના જાણીતા કટાર લેખક નગીનદૃાસ સંઘવીનું ૧૦૦ વર્ષની ઉંમરે નિધન થયું છે. સુરત હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. નગીનદૃાસ સંઘવીને ગત ૨૬મી જાન્યુઆરીએ પદ્મશ્રી આપીને સન્માનિત કરાયા હતા. મોટા ભાગે મુંબઇ ખાતે જીવન પસાર કરનારા ૧૦૦ વર્ષીય નગીનદૃાસ સંઘવી છેલ્લા કેટલાક મહિનાઓથી ઘોડદૃોડ રોડ વિસ્તારમાં દૃીકરીના ઘરે રહેતા હતા. તેઓ વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હતા તેમજ તેમની કોલમ ‘તડ ને ફડ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસતા આવ્યા હતા. તેમના પુસ્તકો ગુજરાતી અને પણ પ્રકાશિત થયા છે. તેમના ગીતા, રામાયણ અને મહાભારતના પ્રવચન પણ લોકપ્રિય છે. તેઓ અત્યાર સુધી સાહિત્યક્ષેત્રે સક્રિય હતા. નગીનદૃાસ સંઘવીનો જન્મ વર્ષ ૧૯૨૦માં થયો હતો. દૃેશ આઝાદૃ થયો ત્યારે વર્ષ ૧૯૪૭માં તેઓએ મુંબઈ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. મુંબઈની જાણીતી કૉલેજોમાં આશરે ત્રણ દૃાયકા સુધી પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવનારા નગીનદૃાસ સંઘવીએ નિવૃતી બાદૃ વિવિધ સામયિકો અને જર્નલોમાં લખવાની શરૂઆત કરી હતી. ૭૦મા પ્રજાસત્તાક દિૃનની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. જેમાં આ એવોર્ડમાં જાણીતા કટાર લેખક નગીનદૃાસ સંઘવીને શિક્ષણ અને પત્રકારત્વ માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો.