ગુજરાતમાં રિન્યૂએબલ એનર્જી પોલીસી જાહેર કરતા મુખ્યમંત્રી

અમરેલી,
ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આપેલા ગ્રીન ગ્રોથના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક નક્કર કદમ ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી – 2023ની જાહેરાત કરીને ભર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાણાં અને ઊર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આ નવી ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી – 2023 જાહેર કરી છે..
આ પોલિસી વિન્ડ, સોલાર અને હાઇબ્રીડ ટેકનોલોજી પર આધારિત રિન્યૂએબલ જનરેશન પ્રોજેક્ટસની સ્થાપનાને પ્રોત્સાહિત કરનારી અને વ્યાપકપણે રિન્યૂએબલ એનર્જીના મુખ્ય સ્ત્રોતોને આવરી લેતી આગવી પોલીસી છે.એટલું જ નહીં, આ પોલીસી અંતર્ગતગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર, રૂફટોપ સોલાર, ફ્લોટીંગ સોલાર, કેનાલ ટોપ સોલાર અને વિન્ડ, રૂફટોપ વિન્ડ અને વિન્ડ-સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટસને આવરી લેવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરેલી આ પોલિસીનો ઓપરેશનલ સમયગાળો નવી પોલીસી જાહેર થતાં સુધીનો અથવા 2028 સુધીનો રાખવામાં આવ્યો છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હરિત ઊર્જાસ્ત્રોતોનો ઉપયોગ ઉત્તરોત્તર વધારીને ભારતને વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનો લક્ષ્યાંક રાખ્યો છે. આ લક્ષ્યાંકની સાથે ટૂંકા ગાળાના લક્ષ્યાંકો પણ નક્કી કરાયાં છે. જેમાં વર્ષ 2030 સુધીમાં ભારત રિન્યુએબલ એનર્જીની ક્ષમતા 500 ગીગાવોટ સુધી વધારીને દેશની કુલ ઊર્જા જરૂરિયાતના 50 ટકા રિન્યુએબલ એનર્જીમાંથી પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.ગુજરાતે વડાપ્રધાનશ્રીની આ નેમને પાર પાડવા આ નવી રિન્યૂએબલ એનર્જી પોલિસી અંતર્ગત 2030 સુધીમાં સમગ્ર વિજ ઉત્પાદનનો 50 ટકા હિસ્સો રિન્યૂએબલ એનર્જી દ્વારા પ્રાપ્ત કરવાના ઉદ્દેશ સાથે આ પોલિસીમાં વિવિધ સુવિધાઓ પ્રદાન કરવાની જોગવાઈઓ કરેલી છે.રાજ્યની સંભવિત રિન્યૂએબલ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે તેમજ અંદાજે 4 લાખ એકર જમીનનો ઉપયોગ આ પોલીસી હેઠળ આવનારા પ્રોજેક્ટસમાં થવાની સંભાવના રાખવામાં આવી છે.એટલું જ નહીં, ગુજરાતના રિન્યૂએબલ એનર્જી પોલિસી – 2023ના પરિણામે પાંચ લાખ કરોડનું રોકાણ થવાની પણ સંભાવનાઓ છે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ પોલીસી હેઠળના લાભો પ્રોજેક્ટ કમિશનીંગ તારીખથી 25 વર્ષના અથવા રિન્યૂએબલ પ્રોજેક્ટસના લાઈફ ટાઈમ સમયગાળા પૈકી જે વહેલું હોય તે માટે લાગુ થશે.આ પોલીસી અન્વયે પ્રોજેક્ટની નોંધણી, માન્યતા, કમિશનીંગ પ્રમાણપત્ર અને માસિક પ્રગતિ અહેવાલ રજૂ કરવા માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી – ય્ઈઘછ કાર્યવાહી કરશે. તેમજ પોલીસીના અમલીકરણ, સંકલન અને દેખરેખ એજન્સી તરીકે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-ય્ેંફશન્ કામગીરી હાથ ધરશે.મુખ્યમંત્રીશ્રીએ આ પોલીસી જાહેર કરી તે અવસરે મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવશ્રીઓ શ્રી પંકજ જોષી, શ્રી જે. પી. ગુપ્તા તથા અગ્રસચિવશ્રીઓ શ્રીમતી મમતા વર્મા, શ્રી સંજીવકુમાર તથા વરિષ્ઠ સચિવો અને ઊર્જા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં