ગૃહમાં પરંપરાઓ તૂટી, ‘છેલ્લા ૨૪ વર્ષમાં આવું નથી જોયું” -રાજનાથ

ચોમાસુ સત્રના પહેલા દિવસે વિપક્ષી સાંસદોના વર્તનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુ:ખી થયા. લોકસભામાં નવા સાંસદોના શપથ ગ્રહણની સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી. ત્યારબાદ પીએમ મોદી ઉભા થયા અને પોતાના મંત્રીઓનો પરિચય કરાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો. પીએમે કહૃાું કે, તેઓ વિચારીને આવ્યા હતા કે આજે ગૃહમાં ઉત્સાહનો માહોલ હશે, પરંતુ આવું ના થયું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહૃાું કે, તેમણે છેલ્લા ૨૪ વર્ષમાં આવું ક્યારેય નથી જોયું.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષને ઘણું જ સંભળાવ્યું. વિપક્ષી સાંસદોના હોબાળા પર પીએમ મોદીએ કહૃાું કે,  વિચારી રહૃાો હતો કે ગૃહમાં ઉત્સાહનું વાતાવરણ હશે, કેમકે ઘણી મોટી સંખ્યામાં આપણી મહિલા સાંસદ, દલિત ભાઈ, આદિવાસી, ખેડૂત પરિવારથી સાંસદોને મંત્રી પરિષદમાં તક મળી. તેમનો પરિચય કરાવવાનો આનંદ હોત, પરંતુ કદાચ દેશના દલિત, મહિલા, ઓબીસી, ખેડૂતોના દીકરા મંત્રી બને એ વાત કેટલાક લોકોને પસંદ નથી આવતી. આ કારણે તેમનો પરિચય પણ ના આપવા દીધો.”

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ વિપક્ષને આડેહાથ લીધું. તેમણે કહૃાું કે, છેલ્લા ૨૪ વર્ષના સંસદીય ઇતિહાસમાં તેમણે ક્યારેય આવું નથી જોયું. રાજનાથે કહૃાું કે, ગૃહમાં પરંપરાઓ તૂટી રહી છે. સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષી સાંસદોને તેમના વર્તન માટે ખરેખરું સંભળાવ્યું.