અમરેલી,
કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા નાફસ્કોબ ના ચેરમેન સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન તેમજ સૂચનાથી નારણભાઈ કાછડીયા અશ્વિનભાઇ સાવલીયા કૌશિક ભાઈ વેકરીયા, જીતુભાઈ ડેર તેમજ ટીમ સહકાર અને ટીમ સંગઠન ની આગેવાનીમાં વતનમાં પરત ફરતા લોકો માટે છાશ પાણી નાસ્તાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.
સમગ્ર દેશમાં કોરોના કોવિડ 19 ની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સુરત અમદાવાદમાં વસતા લોકોને વતનમાં આવવાની પરવાનગી મળતા બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો તેમજ અમરેલી જિલ્લાના લોકો પરત આવી રહ્યા છે ત્યારે જિલ્લાના પનોતા પુત્ર કેન્દ્રના કૃષિ મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા તેમજ નાફસ્કોબ ના ચેરમેન સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન અને સૂચના થી વતનમાં પરત આવતા લોકોને જરૂરી સુવિધા અને વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ચાવંડ પોસ્ટ પર જિલ્લામાં પ્રવેશ કરતી તમામ બસના પ્રવાસીઓનું સ્કેનિગ કરવામાં આવે છે ત્યારે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિક ભાઈ વેકરીયા, જીતુભાઈ ડેર, ભાવનાબેન ગોંડલીયા, ભુપેન્દ્રભાઈ બસિયા, તુષારભાઈ જોશી, ઘનશ્યામભાઈ ત્રાપસીયા, રાજુભાઈ માંગરોળીયા ની આગેવાનીમાં સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં ધોમધખતા તાપમાં અમીના ઓડકાર જેવી તાજી ઠંડી છાશ અમર ડેરીના માધ્યમથી 10000 પાઉચ વિતરણ કરવામાં આવ્યા હતા, સ્થાનિક આગેવાનો આહિર સમાજના પ્રમુખ અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જીતુભાઈ ડેર ભાજપ અગ્રણી ભરતભાઈ પાડા, કાળુભાઈ સાવલિયા દ્વારા ચા પાણી થેપલા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, આ ઉપરાંતઅમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિક ભાઈ વેકરીયા તુષારભાઈ જોશી ,ઘનશ્યામભાઈ ત્રાપસીયા વિશ્વ હિન્દુ પરિષદના હસુભાઈ દુધાત ,ભરતભાઈ કાનાણી વેપારીના મહા મંડળ,મેહુલભાઈ ધોરાજીયા, મનીષભાઈ ધરજીયા તમે વિવિધ આગેવાનો દ્વારા પાણી તેમજ બિસ્કિટ્સ અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.બાબરા થી ભુપેન્દ્રભાઈ બસિયા ,જગદીશ ભાઈ નાકરાણી બાબરા તાલુકા ભાજપના મહામંત્રી રાજુભાઈ તેમજ ટીમ સંગઠન દ્વારા ઠંડા પાણીના કેરબા ની સેવા પૂરી પાડવામાં આવી હતી.
તેમજ આરએસએસ દ્વારા તમામ પ્રવાસીઓ માટે પુલાવ તેમજ સુંદર છાસની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ સેવાકીય પ્રવ્રૂતિ બાદ વતનમાં પરત આવતા તમામ લોકોને સુરક્ષિત સેવા સામાજિક અંતર જાળવવા માસ્ક બાંધવા જેવી સૂચનાઓ આપવામાં આવી હતી અને બધીજ વ્યવસ્થાઓ નુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટીમ સંગઠન ટીમ સહકાર આગેવાનો ના માર્ગદર્શન હેઠળ આ ઉપરાંત મયુરભાઈ હિરપરા ,મગનભાઈ ,ભરતભાઈ સુતરીયા ,ડેની રામાણી ,ચંદુભાઈ રામાણી ,કિરીટભાઈ વામજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.