ચીની રાષ્ટ્રપતિ શી જિનિંપગ ર્જીઝ્રં સમિટથી પરત બાદ પહેલીવાર સાર્વજનિક રીતે જોવા મળ્યા છે. ચીનના સરકારી ટેલિવિઝનના અનુસાર સપ્ટેમ્બરના મધ્યમાં ઉજ્બેજિસ્તાનથી પરત ફરેલા શી જિનિંપગ પહેલીવાર જોવા મળ્યા છે. આગામી મહિને કોમ્યુનિસ્ટ પાર્ટીની મિટીંગ થવાની છે. જેમાં શી જિનિંપગને સતત ત્રીજીવાર રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવશે. આ ઉપરાંત તે પીએલએના અધ્યક્ષ પણ બન્યા રહેશે. કહેવામાં આવી રહૃાું છે કે શી જિનિંપગને માઓત્સે તુંગ બાદ સૌથી મહાન નેતાનો દરજ્જો આપવામાં આવશે. તેનાથી સ્પષ્ટ થાય છે કે શી જિનિંપગ ચીન એકદમ કદાવર નેતા બની ગયા છે અને લાંબા સમય સુધી તેમનું શાસન બની રહી શકે છે. તમને જણાવી દઇએ કે શી જિનિંપગના ઉજ્બેકિસ્તાનથી પરત ફર્યા બાદ એવી અફવાઓ ફેલાઇ ગઇ હતી કે તેમને પીપલ્સ લિબરેશન આર્મીએ નજરબંધ કરી લીધા છે. આ અફવાઓ ખૂબ જ ઝડપથી ફેલાઇ હતી, પરંતુ પછી ખબર પડી કે વિદૃેશ પ્રવાસથી આવ્યા બાદ તે હોમ કોરોન્ટાઇન થઇ ગયા હતા. કેટલાક ટ્વીટ્સમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે બીિંજગ અને આસપાસના શહેરોમાં ઉડાનો ઓછી થઇ ગઇ છે. એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં પીએમની ગાડીઓ પસાર થતી દૃેખાતી હતી. તે વીડિયોને લઇને કહેવામાં આવ્યું હતું કે ચીનની સેના બીિંજગ તરફ આગળ વધી રહી છે. જોકે એવા તમામ દાવા ખોટા જ સાબિત થયા છે. તમને જણાવી દઇએ કે શી જિનિંપગે ઉજ્બેકિસ્તાનમાં આયોજિત એસસીઓની મીિંટગમાં ભાગ લીધો હતો. તેમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદૃી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત ઘણા રાષ્ટ્રાધ્યક્ષ હાજર હતા. પરંતુ એવી ચર્ચાઓ શરો થઇ ગઇ હતી કે તેમને નજરકેદ કરી લેવામાં આવ્યા છે. તેનું કારણ એ પણ હતું કે વાપસી પછી તે જોવા મળ્યા ન હતા. પછી ખબર પડી કે તે કોરોનાનો સામનો કરવા માટે ઝીરો કોવિડ પોલિસી અંતગર્ત કોરેન્ટાઇન થઇ ગયા હતા. હવે કદાચ તે પીરિયડ પુરો થઇ ગયો છે, એટલા માટે બહાર નિકળ્યા છે.