નવીદિૃલ્હી,તા.૧૦
ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો છે. આજે પણ એક જ દિૃવસમાં ૫ હજારથી વધુ નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દૃેશભરમાં ૫,૮૮૦ નવા કોવિડ કેસ નોંધાયા છે. આને ઉમેરવાથી, દૃેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા વધીને ૩૫,૧૯૯ થઈ ગઈ છે. આ સિવાય છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કારણે ૧૨ લોકોના મોત થયા છે. સૌથી વધુ મોત દિૃલ્હી અને હિમાચલ પ્રદૃેશમાં થયા છે. આ વાયરસને કારણે દિૃલ્હી અને હિમાચલ પ્રદૃેશમાં ૪-૪ અને રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર અને ગુજરાતમાં ૧-૧ મૃત્યુ થયા છે. ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ કુલ કેસના ૦.૦૮ ટકા છે. આ સિવાય રિકવરી રેટ ૯૮.૭૩ ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩,૪૮૧ દૃર્દૃીઓ કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે. દૃેશમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા ૪,૪૧,૯૬,૩૧૮ પર પહોંચી ગઈ છે. કોરોના વાયરસનો ડેઇલી પોઝિટિવિટી રેટ વધીને ૬.૯૧ ટકા થઈ ગયો છે. તે જ સમયે, વીકલી પોઝિટિવિટી રેટ ૩.૬૭ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૫,૦૭૬ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૫૮૮૦ લોકો સંક્રમિત જોવા મળ્યા .