તા. ૭.૧.૨૦૨૩ શનિવાર, સંવંત ૨૦૭૯ પોષ વદ એકમ પુનર્વસુ નક્ષત્ર, ઐંદ્ર યોગ, બાલવ કરણ આજે સાંજે ૮.૨૫ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) ત્યારબાદ કર્ક (ડ,હ) .
મેષ (અ,લ,ઈ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.
કર્ક (ડ,હ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે,સાંજ ખુશનુમા વીતે.
કન્યા (પ ,ઠ ,ણ) : આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.
તુલા (ર,ત) : તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
ધન (ધ,ભ,ફ,ઢ ): સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,મતભેદ દૂર કરી શકો.
મકર (ખ,જ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
બુધના અસ્ત થવા સાથે સોસીઅલ મીડિયામાં ઘણા નવા સમાચાર આવી રહ્યા છે અને ટ્વિટર ના કરોડો વપરાશકારોને ઈ મેઈલ હેક થયા છે. બુધ મહારાજ મીડિયા સાથે સબંધ ધરાવે છે માટે બુધના અસ્ત થવા સાથે આ પ્રકારની ઘણી ઘટનાઓ બનતી જોવા મળશે તો અગાઉ લખ્યા મુજબ લોકોમાં વધુ આત્મઘાતી વલણ જોવા મળી રહ્યું છે અને ઘણા લોકો અંતિમ પગલું ભરતા પણ અચકાતા નથી. ગોચર ગ્રહોની વાત કરીએ તો ચંદ્ર મહારાજ સાંજે ૮.૨૫ સુધી મીથુન રાશિમાં છે ત્યારબાદ પોતાની સ્વરાશિ કર્કમાં પ્રવેશ કરશે જ્યાં તેઓ ગુરુથી દ્રષ્ટ થશે જેથી સુંદર ગજકેસરી યોગની રચના કરશે વળી આ ગજકેસરી યોગમાં શુભ બાબત એ છે કે ગુરુ અને ચંદ્ર બંને સ્વગૃહી છે જેથી આ ગજકેસરી યોગ શુભ પરિણામદાયી બને છે આમ પણ જયારે વ્યક્તિગત રીતે જન્મકુંડળીમાં ગજકેસરી યોગ હોય ત્યારે વ્યક્તિ સારું જીવન જીવતો જોવા મળે છે વળી તેને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થતા જોવા મળે છે હાલમાં સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ પણ ચાલી રહ્યો છે જે જાતકને જીવનમાં ઉચ્ચ તબક્કે લઇ જાય છે અને લાઇમ લાઈટ આપતો જોવા મળે છે. કર્કમાં ચંદ્ર આવતા શુક્ર અને શનિ સાથે પ્રતિયુતિમાં આવશે જે આકર્ષણ યોગ અને વિષયોગની રચના કરશે.