જાફરાબાદમાં પવન વધતા દરિયાઇ કરંટ શરૂ

  • દરિયા કાંઠા વિસ્તારના ગામોમાં પવનની ગતી વધતા ચોમાસુ નજીક હોવાના સંકેત : જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા અપાયેલી સૂચના
  • ચક્રવાતના કારણે તા.25/05 થી તા.29/05 સુધી દરિયામાં માછીમારી કરવા માટે બોટો ન જાય તે માટે તાત્કાલિક ટોકન બંધ કરી દેવામાં આવ્યા

અમરેલી,
હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આગાહી આપવામાં આવી છે દરિયો તોફાની અને વધુ વરસાદની સંભાવના છે ચક્રવાતના કારણે તારીખ 25-05-2022 થી તારીખ 29-05-2022 સુધી દરિયામાં માછીમારી કરવા માટે બોટો ન જાય તે માટે તાત્કાલિક ટોકન બંધ કરી દેવામાં આવ્યા છે સ્લામતીમાં ભાગરૂપે દરિયામાં રહેલી હોડી બોટો તાત્કાલિક પરત બોલાવી લેવા માટે જાફરાબાદ ફિશરીજ વિભાગ દ્વારા અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ બંદર આસપાસ વસવાટ કરતા તમામ સમાજના માછીમારોને લેખિત સૂચના આપી દેવાય છે તમામ બોટ એસોસિએશનો ને પણ ફિશરીજ વિભાગ દ્વારા જાણ કરી દેવાય છેરાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ બેલ્ડ વિસ્તારના દરિયા કાંઠે જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તાર શિયાળ બેટ,નર્મદા જેટી વિસ્તાર તમામ દરિયા કાંઠે પવનની સ્પીડ વધી છે જેના કારણે સમુદ્રમાં કરંટ પણ વધી રહ્યો છે જેના કારણે હવામાન વિભાગની આગાહીની અસર થોડા અંશે અહીં જોવા મળી રહી છે જેના કારણે આવતા 24 કલાકમાં દરિયો વધુ તોફાની બની શકે તેવા સંકેતો આજના દ્રશ્યો જોતા લાગી રહ્યા છે.જાફરાબાદ બોટ એસોસિએશન પ્રમુખ કનેયાલાલ સોલંકી એ કહ્યું આગાહી છે પણ આપડા વિસ્તારમાં હજુ કોઈ અસર નથી હાલ કોઈ એવો માહોલ પણ નથી દેખાતો તેમ છતાં અમે વાયલ્સ મારફતે બોટોનો સંપર્ક કરી રહ્યા છે.