જી૨૦ સમિટ માટે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ભવનના કલ્ચરલ સેન્ટરમાં એક સર્વપક્ષીય બેઠક બોલાવી

  • જી૨૦ સમિટ માટે રાષ્ટ્રપતિ ભવનમાં પર ૫ ડિસેમ્બરના રોજ સર્વપક્ષીય બેઠક યોજાઈ

    ૧ ડિસેમ્બરે ભારતને જી૨૦ સમૂહની અધ્યક્ષતા મળી છે. આગામી વર્ષે સપ્ટેમ્બરમાં ભારતમાં જી૨૦નું શિખર સંમેલન આયોજિત કરાશે. જી૨૦ સમિટની તૈયારીઓ પર વાત કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનના કલ્ચરલ સેન્ટરમાં સોમવારે ૫ ડિસેમ્બરના રોજ એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકની કેટલીક તસવીરો પણ સામે આવી છે. પીએમ મોદીએ આ બેઠકમાં કહૃાું કે ભારતની જી૨૦ અધ્યક્ષતા સમગ્ર રાષ્ટ્ર માટે છે, તે દૃુનિયાને પોતાની તાકાત દૃેખાડવાની અનોખી તક છે. તેમણે કહૃાું કે ભારતની જી૨૦ અધ્યક્ષતા પર્યટન અને સ્થાનિક અર્થવ્યવસ્થા માટે મોટી તક લઈને આવી છે. આ અવસરે પીએમ મોદીએ ટીમ વર્કના મહત્વ પર ભાર મૂક્યો અને જી૨૦ના વિભિન્ન કાર્યક્રમોના આયોજનમાં બધા પાસે સહયોગ પણ માંગ્યો. પીએમ મોદીએ કહૃાું કે જી૨૦ની અધ્યક્ષતા દૃેશના વિભિન્ન ક્ષેત્રોની વિશિષ્ટતાને સામે લાવતા પરંપરાગત હીતે મહાનગરોથી અલગ ભારતના કેટલાક ભાગોને પ્રદર્શિત કરવામાં મદદગાર સાબિત થશે. વિદૃેશ મંત્રાલયે એક નિવેદનમાં કહૃાું કે ભારત દ્વારા દૃુનિયાની ૨૦ પ્રમુખ અર્થવ્યવસ્થાઓના સમૂહ જી૨૦ની અધ્યક્ષતા સંભાળવવા અંગે પીએમ મોદીએ કહૃાું કે આજે ભારત પ્રત્યે વૈશ્ર્વિક જિજ્ઞાસ અને આકર્ષણ છે, જે આ તકના મહત્વને વધારે છે. તેમણે ટીમ વર્કના મહત્વ પર ભાર મૂક્યો અને જી૨૦ના વિભિન્ કાર્યક્રમોના આયોજનમાં તમામ નેતાઓ પાસે સહયોગ માંગ્યો. નિવેદન મુજબ આમ આદમી પાર્ટીના અરિંવદ કેજરીવાલ, વાઈએસઆર કોંગ્રેસના જગનમોહન રેડ્ડી, માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના સીતારામ યેચુરી, તેલુગુ દૃેશમ પાર્ટીના એન ચંદ્રબાબુ નાયડુ, અને દ્રમુકના એમ કે સ્ટાલિન, ટીએમસીના મમતા બેનર્જી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા સહિત નેતાઓએ પણ બેઠકને સંબોધિત કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ બેઠકમાં ભાગ લીધો હતો. ભારતની જી૨૦ પ્રાથમિકતાઓના પહેલુઓને વિસ્તારથી બતાવતું એક પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું હતું. પૂર્વ પ્રધાનમંત્રી એચડી દૃેવગૌડા, કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, એસ.જયશંકર, પીયુષ ગોયલ, પ્રાદ જોશી અને ભૂપેન્દ્ર યાદવ પણ બેઠકમાં સામેલ થયા હતા.