દિલીપ કુમારના નિધન પર અમિતાભ-અક્ષય કુમાર સહિતના દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ પાઠવી

બોલિવૂડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારે ૯૮ વર્ષની ઉંમરમાં મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. દિલીપ કુમારના નિધનથી તેમના ચાહકો તથા બોલિવૂડ સેલેબ્સને ઘેરો આઘાત લાગ્યો છે.

અમિતાભ બચ્ચને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહૃાું, ’એક સંસ્થા જતી રહી. જ્યારે પણ ઇન્ડિયન સિનેમાનો ઈતિહાસ લખાશે ત્યારે હંમેશાં કહેવાશે દિલીપ કુમાર પહેલાં અને દિલીપ કુમાર પછી. તેમની આત્માને શાંતિ મળે એ માટે હું દુઆ કરું છું. પરિવારને આ દુ:ખની ઘડીમાં સાંત્વના મળે. ઘણું જ દુ:ખ થયું…’

સલમાન ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહૃાું, ઇન્ડિયન સિનેમાના અત્યાર સુધીના તથા ભવિષ્યના બેસ્ટ એક્ટર. દિલીપસાબની આત્માને શાંતિ મળે.

અજય દેવગને કહૃાું, મેં લિજેન્ડ સાથે અનેક ક્ષણો પસાર કરી છે. કેટલીક અંગત તો કેટલીક સ્ટેજ પર. તેઓ એક સંસ્થા હતા. એક શાનદૃાર એક્ટર હતા.

અક્ષય કુમારે કહૃાું હતું, અમારા એક્ટર માટે તેઓ અસલી હીરો હતા. દિલીપ સાહેબ પોતાની સાથે ભારતીય સિનેમાનો એક યુગ પોતાની સાથે લઈ ગયા.

લતા મંગેશકરે સો.મીડિયામાં કહૃાું, યુસુફભાઈ આજે પોતાની નાની બહેનને છોડીને જતા રહૃાાં. યુસુફભાઈ શું ગયા…એક યુગનો અંત આવી ગયો. મને કંઈ જ ખબર પડતી નથી. હું ઘણી જ દુ:ખી છું. નિ:શબ્દ છું. અનેક વાતો, અનેક યાદૃો આપીને જતા રહૃાા. યુસુફભાઈ છેલ્લાં ઘણાં વર્ષોથી બીમાર હતા. કોઈને ઓળખી શકતા નહોતા. આ સમયે સાયરાભાભીએ બધું જ છોડીને દિવસ રાત તેમની સેવા કરી છે. તેમના માટે બીજું કંઈ હતું જ નહીં. આવી મહિલાને હું પ્રણામ કરું છું અને યુસુફ ભાઈની શાંતિ માટે દુઆ કરું છું.

શાહિદ કપૂરે કહૃાું, અમે કંઈ નથી પરંતુ દિલીપ સાબના જ વર્ઝન છીએ. દરેક એક્ટરે દિલીપકુમારનો અભ્યાસ કર્યો જ છે. અમને નવાઈ લાગે છે કે તે કેવી રીતે આટલું બધું કરી લેતા. તમે પર્ફેક્ટની એકદમ નજીક હતા. તમે તમારા આધ્યાત્મિક ઘરમાં પરત ફર્યા છો. તમારી સાથે અનેકની પ્રાર્થના છે. અમને આ બધું આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે હંમેશાં જીવિત રહેશો સર. તમે ટાઇમલેસ છો. તમારી આત્માને શાંતિ મળે