દિલ્હીમાં ફ્રી વીજળી પર તો આવ્યો નવો નિયમ, ઝ્રસ્ કેજરીવાલે આવી કેમ જાહેરાત કરી?

દિલ્હીના મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. દિલ્હીમાં હવે જે લોકો વીજળી સબસિડી માટે અરજી કરશે તેમને જ વીજળી સબસિડી મળશે. આજથી આ માટે અરજી શરૂ થઈ જશે. દિલ્હીના સીએમ અરિંવદ કેજરીવાલે કહૃાું કે કેટલાક લોકો ફ્રી વીજળી લેવા માંગતા નથી. આવામાં હવે દિલ્હીમાં પણ એ જ લોકોને વીજળી સબસિડી મળશે જે તેના માટે અરજી કરશે. અરિંવદ કેજરીવાલે કહૃાું કે દિલ્હીમાં પહેલા વીજળી ખુબ જતી હતી. અમે તેને ઠીક કર્યું. હવે ૨૪ કલાક વીજળી મળે છે. દિલ્હીમાં વીજળી ફ્રી મળે છે. ભ્રષ્ટાચાર રોકીને જે પૈસા બચાવ્યા તેમાંથી લોકોને સુવિધા આપી રહૃાા છીએ. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં વીજળીના ૫૮ લાખ ગ્રાહકો છે. જેમાંથી ૩૦ લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે. ૧૭ લાખ ગ્રાહકો એવા છે જેમના બિલ અડધા આવે છે. જે લોકો સબસિડી માંગશે તેમને જ અમે સબસિડી આપીશું. આ સુવિધા એક ઓક્ટોબરથી લાગૂ રહેશે. વીજળીના બિલ સાથે એક ફોર્મ આવશે. વીજળીના બિલ કેન્દ્રમાં ફોર્મ જમા કરાવવું પડશે. તેમણે કહૃાું કે અમે એક નંબર (૭૦૧૧૩૧૧૧૧૧) બહાર પાડી રહૃાા છીએ. આ નંબર પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. મિસ્ડ કોલ પર મેસેજ આવશે. તેમાં એક લિંક મળશે. જેનાથી વોટ્સ એપ પર ફોર્મ ઓપન થઈ જશે. જેમનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે તેમને મેસેજ પણ મોકલવામાં આવશે. ૩૧ ઓક્ટોબર સુધીમાં જેટલા લોકો ફોર્મ ભરશે તેમને યોજનાનો લાભ મળશે. આગામી મહિને ફોર્મ ભરવા પર ગત મહિનાનું બિલ જમા કરવું પડશે. તેમણે કહૃાું કે આ અંગે તેમની સરકાર ઘરે ઘરે જઈને જાગૃતતા અભિયાન ચલાવશે. અત્રે જણાવવાનું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પણ ઢૂંકડી છે અને આમ આદમી પાર્ટી પૂરા જોરશોરથી પ્રચાર કરી રહી છે. અરિંવદ કેજરીવાલે ગુજરાતમાં પણ ફ્રી વીજળી આપવાનો વાયદૃો કર્યો છે. તેમણે કહૃાું હતું કે હાલમાં મોંઘવારી ખૂબ વધી ગઇ છે. આ મોટી સમસ્યા છે. વીજળીના ભાવ સતત વધી રહૃાા છે. જેવી રીતે અમે દિલ્હીમાં ફ્રી વિજળી આપી. પંજાબમાં ત્રણ મહિનામાં ફ્રી વિજળી આપી. એ જ પ્રમાણે અમે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ફ્રી વીજળી આપીશું. પહેલી ગેરંટી તેમણે ફ્રી વીજળીની આપી હતી. અરિંવદ કેજરીવાલે જાહેરાત કરતા કહૃાું હતું કે ગુજરાતમાં પહેલી ગેરેન્ટી તરીકે ફ્રી વીજળીનું વચન આપું છું. કેજરીવાલે કહૃાું કે ભાજપે કહૃાું હતું કે ૧૫ લાખ આપીશું. પછી કહૃાું કે આ ચૂંટણીનો તુક્કો હતો. તે કહે છેલ પરંતુ અમે ગેરેન્ટી આપીએ છીએ. જો અમે કામ ન કરીએ તો આગામી વખતે વોટ ન આપતા. કેજરીવાલે કહૃાું કે અમે વીજળીને લઇને ત્રણ કામ દિલ્હી અને પંજાબમાં કર્યા છે. તો એ જ ગુજરાતમાં કરીશું.