દૃુબઈ,તા.૧૭
સંયુક્ત અરબ અમીરાત (ેંછઈ) માં દૃુબઈની એક રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાથી ૧૬ લોકોના મોત થયા છે. દૃુર્ઘટનામાં મૃત્યુ પામનાર કેરલના એક દૃંપતી સહિત ૪ ભારતીય સામેલ છે. અધિકારીએ રવિવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે દૃુબઈના સૌથી જૂના વિસ્તારમાંથી એક અલ-રાસમાં સ્થિત ઇમારતના ચોથા માળ પર આગ લાગી અને પછી અન્ય વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. અધિકારીઓ પ્રમાણે દૃુર્ઘટનામાં ૧૬ લોકોના મોત થયા અને ૯ લોકો દૃાઝી ગયા છે. દૃુબહઈમાં સ્થિત ભારતીય દૃૂતાવાસે દૃુર્ઘટનામાં ચાર ભારતીયોના મોતની પુષ્ટિ કરી છે. ભારતીય વાણિજ્ય દૃૂતાવાસમાં સીનિયર અધિકારી બિજેન્દ્ર િંસહે જણાવ્યુ- મૃતકોમાં રિજેશ કલંગદૃાન (૩૮), તેની પત્ની જેશી કંદૃમંગલથ (૩૨), ગુડ્ડૂ સલિયાકુંડુ (૪૯) અને ઇમામકાસિમ અબ્દૃુલ ખદૃેર (૪૩) સામેલ છે. તેમણે કહૃાું કે તેના પાસપોર્ટની કોપી એક ભારતીય સામાજિક કાર્યકર્તાના માધ્યમથી પ્રાપ્ત થઈ છે. અમે પીડિત પરિવારો પ્રત્યે સંવેદૃના વ્યક્ત કરીએ છીએ અને સમર્થન માટે પહોંચનારા સામાજિક કાર્યકર્તા અને અન્ય લોકોનો આભાર માનીએ છીએ. અમે તેના મૃતદૃેહને પરત લાવવા માટે સ્થાનીક અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ. િંસહે કહૃાુ- અમે અત્યાર સુધી ઇમારતમાં કામ કરનાર તમિલનાડુના બે પુરૂષો અને કેરલના કપલ સહિત ૪ ભારતીયો, ૩ પાકિસ્તાની ભાઈઓ અને એક નાઈજીરિયન મહિલાની ઓળખ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે દૃુબઈ સિવિલ ડિફેન્સ ઓપરેશન રૂમને શનિવારે બપોરે આશરે ૧૨.૩૫ કલાક આગ લાગવાની માહિતી મળી હતી. ત્યારબાદૃ દૃુબઈ સિવિલ ડિફેન્સ મુખ્યાલયના એક દૃળે ઘટનાસ્થળે પહોંચીને ઇમારતમાં રહેતા લોકો માટે બચાવ અભિયાન શરૂ કર્યું. તેમણે જણાવ્યું કે પોર્ટ સઈદૃ ફાયર સ્ટેશન અને હમરિયાહ ફાયર સ્ટેશનના દૃળને પણ બોલાવવામાં આવ્યું હતું. ગલ્ફ ન્યૂઝના સમાચાર અનુસાર આગ પર બપોરે ૨.૪૨ કલાકે (સ્થાનીક સમયાનુસાર) કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. અહેવાલમાં કહેવામાં આવ્યું કે આશરે બપોરે ૩ કલાકે સિવિલ ડિફેન્સની ટીમે ક્રેનની મદૃદૃથી ત્રીજા માળે રહેલા લોકોને બચાવ્યા હતા. દૃુબઈ સિવિલ ડિફેન્સના પ્રવક્તાએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ઇમારતમાં પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા નહોતી. પ્રવક્તાએ કહૃાું કે, અધિકારી આગ લાગવાના કારણોની તપાસ કરી રહૃાાં છે, જેથી એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી શકે. તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.