ધારીમાં ક્વોરન્ટાઇન સેન્ટરમાં રસોડુ સંભાળી લેતું સેવાભાવી બજરંગ ગૃપ

ધારી,ગુજરાતમાં લોકડાઉન શરૂ થયુ ત્યારથી જ માનવસેવા એ જ પ્રભુસેવાના સુત્રને સાચા અર્થમાં સાર્થક કરવા બજરંગ ગૃપ ધારી પંથકમાં ભારે લોકપ્રિય બનેલ છે.
લોકડાઉન શરૂ થયુ ત્યારથી આજ સુધી બજરંગ ગૃપ દ્વારા શેલ્ટર હોમમાં બપોરે અને સાંજે બંને ટાઇમ રસોડુ શરૂ કરી બપોરે 500 અને રાત્રે 500 ઉપરાંતના લોકોને ભોજન પીરસી સેવા આપવામાં આવે છે ઉપરાંત સેલ્ટર હોમમાં લોકોને ભોજન સહિતની સેવાઓ અપાય છે.
એટલુ જ નહી બજરંગ ગૃપ દ્વારા આજ સુધીમાં ગામડે ગામડે જઇને 2 હજાર ઉપરાંતની કીટોનું વિતરણ કરવામાં આવ્યુ છે. અનેક ભુખ્યાજનોનો જઠરાગ્નિ શાંત કરવા ભોજન ઉપરાંત રાશન સામગ્રી વિતરણ કરી ખરા સમયે બજરંગ ગૃપ મદદરૂપ બનેલ છે તેથી આ પંથકમાં બજરંગ ગૃપ અને તેના સેવાભાવીઓ પરેશભાઇ પટ્ટણી, મનીષભાઇ જોષી, દિનેશભાઇ લુણાગરીયા, શ્રી ગોપાલભાઇ, શ્રી નીમેષ વાળા, શ્રી દુર્ગેશભાઇ સહિત બજરંગ ગૃપના કાર્યકરો સતત સેવામય રહે છે. માત્ર ધારી જ નહી ગામડે ગામડે જઇને લોકોને પડતી મુશ્કેલી અને જોઇતી મદદ માટે બજરંગ ગૃપ હંમેશા તત્પર રહે છે.
આમ ખરા અર્થમાં બજરંગ ગૃપ આ પંથકના લોકોની સેવા કરી રહયુ છે. ત્યારે બજરંગ ગૃપને બિરદાવવુ જ રહયું.