બુધવારે સરદાર સરોવર ડેમમાંથી ૨૫,૯૮૦ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યા બાદ ઑથોરિટી દ્વારા નર્મદા નદીની આજુબાજુમાં આવેલા તમામ ગામડાને ચેતવણી આપી દીધી છે. અધિકારીઓએ કહૃાું કે જો ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવે તો તેવી સ્થિતિમાં આ ગામડાઓને અલર્ટ પર રાખવામાં આવશે.
સરદાર સરોવર નિગમ લિમિટેડ ઑથોરિટીએ જણાવ્યા મુજબ ડેમમા ૯૩૫૯૪ જેટલા પાણીની આવક થતાં છેલ્લા ૨૪ કલાકમાં જ પાણીની સપાટી ૩.૫ મીટર ઉપર જતી રહી હતી. અત્યારે સરદાર સરોવર ડેમમમાં પાણીની સપાટી ૧૩૦ મીટર છે. ડેમમાંથી નદી અને મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવી રહૃાું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મોટાભાગના જળાશયો ઓવરલો થવાની તૈયારીમાં છે. આ વખતે ધોધમાર પડેલા વરસાદૃે ફરી ખેડૂતોની મૂંઝવણ વધારી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદૃે માઝા મૂકી, જ્યાં છેલ્લા કેટલાય દિવસથી વરસી રહેલો વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહૃાો અને હજી પણ આગામી ૩ દિવસ સુધી વરસાદની આગાહી છે.