તા. ૪.૧૦.૨૦૨૨ મંગળવાર, સંવંત ૨૦૭૮ આસો સુદ નોમ, ઉત્તરાષાઢા નક્ષત્ર, અતિ. યોગ, તૈતિલ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) રહેશે .
મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
મિથુન (ક,છ,ઘ) : માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) : તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી.
મીન (દ ,ચ ,ઝ ,થ): આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
આજરોજ મંગળવારને નવમું નોરતું છે. નવમા નોરતે માં સિધ્ધિદાત્રીની પૂજા અર્ચના થાય છે. માઁ સિધ્ધિદાત્રી ચાર હાથવાળી છે. તેમનુ વાહન સિંહ છે. તે કમળના ફૂલ પર બિરાજમાન છે. તેમના ડાબા બાજુના નીચેના હાથમાં કમળનું ફૂલ છે. માં સિધ્ધિદાત્રી તમામ સિદ્ધિઓ આપનારી છે. આ યુગમાં એવી કોઈ સિદ્ધિ નથી જે માતા ના આપી શકે. આઠ પ્રકારની સિદ્ધિઓ શાસ્ત્રમાં વર્ણવેલી છે. માં સિધ્ધિદાત્રી અણિમા, મહિમા, ગરિમા,લધિમા,પ્રાપ્તિ,પ્રાકામ્