પ્રધાનમંત્રીએ મુલાયમ સિંહ યાદવને આપી શ્રદ્ધાંજલિ,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ રાજકારણી મુલાયમ સિંહ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે મુલાયમ સિંહ યાદવે ખંતપૂર્વક લોકોની સેવા કરી અને લોકનાયક જેપી અને ડૉ. લોહિયાના આદર્શોને લોકપ્રિય બનાવવા માટે તેમનું જીવન સમર્પિત કર્યું. નરેન્દ્ર મોદીએ એ સમયને યાદ કર્યો જ્યારે મુલાયમ સિંહ યાદવ સંરક્ષણમંત્રી હતા અને મજબૂત ભારત માટે કામ કર્યું હતું. મુલાયમ સિંહ યાદવ સાથેના તેમના ગાઢ જોડાણને યાદ કરતાં પ્રધાનમંત્રી કહૃાું કે તેઓ હંમેશા તેમના મંતવ્યો સાંભળવા ઉત્સુક રહેતા અને તેમની મીટીંગના ફોટોગ્રાસ પણ શેર કર્યા છે. પ્રધાનમંત્રીએ મુલાયમ સિંહ યાદવના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.સિંહ યાદવજી એક નોંધપાત્ર વ્યક્તિત્વ હતી. લોકોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ એવા નમ્ર અને ભૂમિગત નેતા તરીકે તેમની વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે ખંતપૂર્વક લોકોની સેવા કરી અને લોકનાયક જેપી અને ડૉ. લોહિયાના આદર્શોને લોકપ્રિય બનાવવા માટે તેમનું જીવન સમર્પિત કર્યું.” સિંહ યાદવજીએ યુપી અને રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી. કટોકટી દરમિયાન લોકશાહી માટે તેઓ મુખ્ય સૈનિક હતા. સંરક્ષણમંત્રી તરીકે તેમણે મજબૂત ભારત માટે કામ કર્યું. તેમના સંસદીય હસ્તક્ષેપ સમજદારીપૂર્વકના હતા અને રાષ્ટ્રીય હિતને આગળ વધારવા પર ભાર મૂક્યો હતો. અમે અમારા સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી ત્યારે મુલાયમ સિંહ યાદવજી સાથે મારી ઘણી વાતચીત થઈ હતી. નિકટનો સહયોગ ચાલુ રહૃાો અને હું હંમેશા તેમના મંતવ્યો સાંભળવા ઉત્સુક રહૃાો. તેમના નિધનથી મને દૃુ:ખ થાય છે. તેમના પરિવાર અને લાખો સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”